મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં ચાલી રહેલી તપાસમાં નવો વળાંક આવ્યો છે. વાસ્તવમાં, શરૂઆતનો માહોલ શાંત થયા પછી, મુંબઇ પોલીસે તેની તપાસ ફરી શરૂ કરી જ્યાંથી સુશાંતે આત્મહત્યા કરી. પોલીસના નિશાના પર હવે તે કથિત કપડું છે, જેનાંથી સુશાંતે સુસાઈડ કર્યુ હોવાની વાત કહેવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે આ કાપડાંમાં લટક્યા બાદ સુશાંતનું વજન કેવી રીતે સંભાળી શકાયું હશે.
પોલીસના જણાવ્યા અનુસાર સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરવા લીલા રંગના કુર્તાનો ઉપયોગ કર્યો હતો. પોલીસે સુશાંતની ડેડબોડી નીચે ઉતારી ત્યારે તેમને બાથરોબનો પટ્ટો પણ મળ્યો હતો, જે પહેલાથી બે ટુકડામાં તૂટી ગયો હતો. જ્યારે પુરાવા માટે પોલીસે સુશાંતના ઘરની તલાશી લીધી ત્યારે તેને સુશાંતનો કપડાનો કબાટ સંપૂર્ણ વેરવિખેર મળી આવ્યો હતો. એવી કોઈ વસ્તુ શોધવા માટે આખો કબાટ વેર-વિખેર કરી નાંખ્યો હતો.
પોલીસ થિયરી એ છે કે સુશાંતે પહેલા બાથરોબ બેલ્ટથી પોતાને લટકાવવાનો પ્રયાસ કર્યો હશે. જો કે, જ્યારે તે તૂટી ગઈ ત્યારે તેણે કુર્તાને દોરડું બનાવીને પોતાની જાતને લટકાવી દીધી. પોલીસે આ કુર્તાને કાલીના ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યો છે. ફક્ત આ કુર્તાનો ટેસ્ટ રિપોર્ટ જ જણાવશે કે તે કુર્તો સુશાંતનું વજન સહન કરી શકે તેમ હતો કે નહી!
પોલીસ આ કેસની તપાસમાં કોઈ કમી છોડવા માંગતી નથી. તેને એવી પણ શંકા છે કે સુશાંતના ટ્વિટર એકાઉન્ટમાં પણ કોઈએ ચેડા કર્યા છે. તેથી તેણે ટ્વિટર કંપનીને એક પત્ર લખીને છેલ્લા છ મહિનાથી સુશાંતના ખાતાનો રિપોર્ટ માંગ્યો છે.
14 જૂનના રોજ બનેલી આ ઘટના બાદ પોલીસે સુશાંતસિંહ રાજપૂત સાથે સંકળાયેલા 25 જેટલા લોકોની પૂછપરછ કરી છે. સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં મોતનું કારણ ગૂંગળામણ હોવાનું જણાવાયું છે. આ સિવાય તેના શરીર પર કોઈ ઉઝરડા કે કોઈ પણ પ્રકારના ઈજાનાં નિશાન નથી.