સુશાંત સિંહ રાજપૂતનાં દુ:ખદ અવસાન પછી, તેના ચાહકો, ઈન્ડસ્ટ્રી અને પરિવારજનો બધા જ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. સુશાંતની યાદો હજી હ્રદયને કંપાવી રહી છે. જેઓ સુશાંતને ઓળખતા નથી, તેઓ પણ પીડાદાયક લાગણી અનુભવે છે, તો જેમણે જન્મ આપ્યો છે અને તેને ઉછેરીને મોટો કર્યો છે, તેમની પીડા શું હશે. સુશાંતના પિતા કે.કે.સિંહે તાજેતરમાં જ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સુશાંતનો જન્મ ઘણા બધા વ્રતો પછી થયો હતો.
એક વીડિયો ઇન્ટરવ્યૂમાં સુશાંતના પિતાએ કહ્યું કે સુશાંતનો જન્મ ચાર છોકરીઓ પછી થયો હતો. તેમણે તેમના જન્મ પહેલાં ખૂબ પ્રાર્થના કરી હતી. કે.કે.સિંહે જણાવ્યું હતું કે સુશાંત કેવી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે તેના વિશે તેમની સાથે વાત કરતો હતો, પરંતુ તેના મૃત્યુના થોડા સમય પહેલા આ સંબંધે કોઈ વાત થઈ ન હતી.
સુશાંતના પિતાએ અંકિતા લોખંડે વિશે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુશાંતની મહિલા મિત્રોમાં તે તેમને જ ઓળખે છે. તે મુંબઈમાં તેને મળી હતી, તે પણ પટનાના ઘરે પણ આવી હતી.
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત પવિત્ર રિશ્તાના સેટ પર મળ્યા હતા અને બંને ઘણા સમયથી સાથે હતા. સુશાંતે 14 જૂને તેના મુંબઇ નિવાસ સ્થાને આત્મહત્યા કરી હતી. અંકિતા સુશાંતના મૃત્યુ પછી મુંબઇમાં પણ તેના પરિવારને મળી હતી.
સુશાંતના આ પગલા પાછળનું નક્કર કારણ જાહેર થયું નથી, પરંતુ પોલીસ રિપોર્ટ અનુસાર તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. ડિપ્રેશનનું કારણ શું હતું તે વિશે હવે સોશિયલ મીડિયામાં ઘણી થિયરીઓ ચાલી રહી છે. દાખલા તરીકે, નેપોટીઝમ અને બોલીવુડમાં ગ્રુપીઝમ.
પોસ્ટમોર્ટમમાં સુસાઇડ રિપોર્ટની પુષ્ટિ થઈ છે. રિપોર્ટમાં બાહ્ય ઇજાઓ થવાના કોઈ નિશાન મળ્યા નથી. જ્યારે પોલીસ તપાસમાં કોઈ ષડયંત્રની કડીઓ મળી નથી.
જોકે, સુશાંતનાં ચાહકો, ઈન્ડ્સ્ટ્રીના કેટલાંક લોકો અને નેતા સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુશાંત હવે છેલ્લી વખત 24મી જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહેલી દિલ બેચારામાં જોવા મળશે.