Only Gujarat

Bollywood

છેલ્લીવાર સુશાંત તથા રિયાએ માત્ર ત્રણ સેકન્ડ જ ફોન પર કરી હતી વાતો, થયો મોટો ખુલાસો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલાવવાનું નામ લેતું નથી. આ મામલે સીબીઆઈ તપાસ પણ ચાલુ છે ત્યારે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ મામલે એક ચેનલ દ્વારા રિયાની કોલ ડિટેલ્સ મળ્યાનો દાવો કર્યો છે, જેમાં સુશાંતના મોતના એક દિવસ અગાઉ, સુશાંતના મૃત્યુના દિવસે અને તેના પછીના દિવસની કોલ ડિટેલ્સ સામેલ છે. આમ તો રિયાએ 8 જૂને જ સુશાંતનું ઘર છોડી દીધું હતું, પરંતુ સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કેસ ગરમાયો હતો.

 

રિયાના ઘર છોડીને ગયા બાદ તેની સુશાંત સાથે કોઈ વાત થઈ નહોતી. 8-14 જૂન દરમિયાન રિયાની ઘણા લોકો સાથે વાત થઈ, તેણે અમુક અજ્ઞાત નંબરો પરથી પણ ફોન આવ્યા. સુશાંતના મોતના દિવસે એટલે કે 14 જૂને સવારે રિયાએ એક મહિલા સાથે 1 કલાક 7 મિનિટ સુધી વાત કરી હતી, જે સમયે સુશાંતની આત્મહત્યાના સમાચાર તમામ ચેનલો પર ચાલી રહ્યાં હતા ત્યારે જ રિયા કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી.

રિયા અને સુશાંતની ફોન પર છેલ્લી વાતઃ રિયા અને સુશાંત વચ્ચે ફોન પર છેલ્લી વાત 5 જૂને થઈ હતી. આ દિવસે સુશાંત અને રિયાએ ફોન પર 2 વાર વાત કરી હતી. સુશાંતે રિયાને સવારે 8.19 કોલ કર્યો હતો અને આ દરમિયાન બંને વચ્ચે 1 મિનિટ 54 સેકન્ડ વાત થઈ હતી. જે પછી રિયાના ફોન પર બેંકના 2 મેસેજ આવ્યા. જે પછી રિયાએ સુશાંતને 9.59 કલાકે ફોન કર્યો. બંને વચ્ચે માત્ર 3 સેકન્ડ વાત થઈ. એટલે કે સુશાંત અને રિયા વચ્ચેની છેલ્લી વાતચીત માત્ર 3 સેકન્ડ જ ચાલી હતી.

સુશાંતના નિધન અગાઉની રાતે રિયાના 5 ફોન કોલ્સઃ – 13 જૂન 2020ની રાતે રિયાએ અંતિમ કોલ 9.43એ કોઈ એયુ નામથી રજીસ્ટર્ડ નંબર પર કર્યો હતો. આ વ્યક્તિ સાથે રિયાએ 1 મિનિટ 38 સેકન્ડ વાત કરી હતી. – આ અગાઉ રિયાએ રાતે 9.21એ રુપા ચડ્ઢા નામની મહિલાને ફોન કર્યો હતો. આ સમયે રિયાએ 7 મિનિટ 8 સેકન્ડ વાત કરી હતી.- આ અગાઉ રાતે રિયાએ કાસ્ટિંગ ડિરેક્ટર નિશા ચિટાલિયા સાથે વાત કરી હતી. રાતે 8 કલાકે થયેલી વાત માત્ર 57 સેકન્ડ ચાલી હતી.


– 13 જૂન સાંજે જ રિયાએ 7.50એ નિશા સાથે જ 1 મિનિટ જેટલો સમય જ વાત કરી હતી. – નિશા સાથે 2 વખત થયેલી વાતચીત વચ્ચે રિયાએ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ઈન્દ્રજીત નાતોજીને 8.26એ ફોન કર્યો હતો. તેમની વચ્ચે 23 મિનિટ 14 સેકન્ડ વાત થઈ હતી.

14 જૂનની રિયાની કોલ ડિટેન્સઃ સુશાંત સિંહ રાજપૂતના મોતના દિવસે રિયાને મોબાઈલ પર 7 ફોન કોલ આવ્યા. 25 મેસેજ આવ્યા અને રિયાએ પોતે 9 લોકોને ફોન કર્યા હતા. – સુશાંતના મોતના દિવસે સવારે 7.38એ રાધિકા મેહતા સાથે રિયાએ 30 મિનિટ 55 સેકન્ડ વાત કરી હતી.

– તે પછી રિયાએ 8 વાગે ફરી રાધિકા મેહતાને કોલ કર્યો અને ફરી તેમની વચ્ચે 30 મિનિટ લાંબી વાત થઈ. – ત્રીજી વખત રિયાએ 8.38એ ફરી રાધિકા મેહતાને કોલ કર્યો અને તેમની વચ્ચે 5.41 મિનિટ વાત થઈ. સુશાંતના મોતના દિવસે રિયાએ રાધિકા મેહતા સાથે 1 કલાક 36 સેકન્ડ જેટલો સમય વાત કરી. આ તે વ્યક્તિ છે, જેની સાથે સુશાંતના મૃત્યુના પહેલા અને પછીના 24 કલાકમાં રિયાની સૌથી વધુ વાતચીત થઈ હતી.

You cannot copy content of this page