મુંબઈઃ સુશાંત સિંહ રાજપુત નિધન કેસમાં એક એવો મુદ્દો છે જેના વિશે સૌથી વધુ વિવાદ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે, સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિયાનના મોતનું સુશાંત સાથે કનેક્શન હતું. મુંબઈ પોલીસે આ વાત નકારી હતી, પણ હવે CBIએ આ અંગે તેમની તપાસ હાથ ધરી છે. CBI તે સમજવાનો પ્રયત્ન કરી રહી છે કે, દિશા સાલિયાનનું મોત અને સુશાંતના મોતમાં કંઈક કૉમન તો નથી ને?
CBI કરશે દિશા સાલિયાનનાં કેસની તપાસ
હવે તે તપાસને આગળ વધારતા CBI બંટી સજદેહની પૂછપરછ કરી રહી છે. બંટી સજદેવા કોર્નર સ્ટોન કંપનીનો CEO છે. આ કંપનીમાં દિશા સાલિયાન પણ કામ કરતી હતી. હવે CBI બંટીની પૂછપરછ કરી આ સમજવાનો પ્રયત્ન કરશે કે શું દિશા સાલિયાનનું સુશાંતના મોત સાથે કોઈ કનેક્શન છે કે નહીં?
ઉલ્લેખનીય છે કે, બંટી સજદેવા એ વ્યક્તિ છે જેમને ક્રિકેટર વિરાટ કોહલીને મોટી મોટી જાહેરાતો અપાવી હતી. માત્ર એટલું જ નહીં તે એક્ટર સોહેલ ખાનનો પણ સાળો છે. એવામાં બંટીનું નામ સામે આવતાં આ કેસને વધુ હાઇપ્રોફાઇલ કેસ બન્યો છે.
બંટી આમ તો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે નહીં, પણ તેમનો સોહેલ ખાન સાથે એક ફોટો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ ફોટોમાં બેટી સોહેલ અને તેમની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. તેણે આ પોસ્ટ દ્વારા કોઈને બર્થડે વિશ કર્યો છે.
દિશા-સુશાંત વચ્ચે શું કનેક્શન?
સુશાંત સિંહ રાજપુત મામલે દિશા સાલિયાનનું નામ ઘણીવાર સામે આવ્યું છે. સિદ્ધાર્થ પિઠાણીએ પણ તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, ‘દિશાના નિધન પછી સુશાંત ખૂબ જ હેરાન હતો. સુશાંત એટલો ડરી ગયો હતો કે તેમણે સિદ્ધાર્થને કહી દરેક વીડિયો અને ફોટો ડિલીટ કરાવ્યાં હતાં.’ એટલું જ નહીં એવું પણ કહ્યું કે, ‘સુશાંતને એ વાતથી ખૂબ જ ડર લાગતો હતો કે, સુશાંતની એક્સ મેનેજરે આત્મહત્યા કરી લીધી છે.’ પિઠાણીએ જણાવ્યા મુજબ, તે ઘટનાથી સુશાંતની તબિયત પર અસર થઈ હતી.