મધ્યપ્રદેશના છિંદવાડા શહેરમાં એક યુવકે ‘એન્જિનિયર ચાયવાલા’ નામની ચાની દુકાન ખોલી છે, જેની ખૂબ ચર્ચા થાય છે. વળી, ચાની દુકાનમાં લગાવેલાં બોર્ડ પર લખેલા શબ્દો આજકાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. ચાની દુકાનના બોર્ડ પર આવું કંઇક લખ્યું છે, ‘આમ તો હું સોફ્ટવેર એન્જિનિયર છું, મેં ઘણી કંપનીઓમાં કામ કર્યું છે. જ્યાં પૈસા તો મળતા હતા પરંતુ સુકૂન નહી, હું હંમેશાં વ્યવસાય કરવા માંગતો હતો ‘.
સોફ્ટવેર એન્જિનિયરનું નામ અંકિત નાગવંશી છે. તે કહે છે કે તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેણે ઘણી કંપનીઓમાં કામ કર્યું છે. પરંતુ તે પોતાનો વ્યવસાય કરવા માંગતો હતો, તેથી તેણે આ નોકરી છોડી દીધી. અંકિતે જણાવ્યું કે જ્યારે તે સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો, ત્યારે અમારા બધા મિત્રો ઓફિસની બહાર ચા પીવા જતા હતા. ત્યારે ક્યારેક ચા સારી મળતી તો ક્યારેક ન મળતી.
અંકિત નાગવંશી કહે છે કે ઓફિસમાં ક્યારેક ચા આવતી હતી. અમે ચાની દુકાન પર ગયા અને ચા વેચનાર અમારો મિત્ર બની ગયો હતો. વાતો વાતોમાં તેણે અમને કહ્યુકે, અમે લગભગ દોઢ થી બે લાખ રૂપિયાની કમાણી કરીએ છીએ. અમે અંદરો-અંદર ચર્ચા કરવાનું શરૂ કર્યું કે આ ખૂબ પૈસા છે. અમે આટલી મહેનત કર્યા બાદ પણ આટલું કમાતા નથી.
તેમણે આગળ કહ્યુ, મે વિચાર્યુકે, આટલી કમાણી સુધી પહોંચવામાં ઘણો સમય લાગી જાય છે. પછી એવી ઈચ્છા થઈકે, કેમ ન બિઝનેસ જ સ્ટાર્ટ કરી દેવો જોઈએ, પછી ભલે તે ચા નો જ કેમ ન હોય, પછી હિંમત કરીને પરિવારમાં ખાણી-પીણીનાં બિઝનેસ અંગે વાતચીત કરી.
પરિવારનાં લોકોએ કહ્યુકે, મુશ્કેલ છે પરંતુ સમજી વિચારીને નિર્ણય લેજે, મે નિર્ણય લેવામાં જ 3 વર્ષનો સમય લગાવી દીધો અને આખરે મે નોકરી છોડી દીધી, નાગપુરમાં 3-4 જગ્યાએ નોકરી કરી હતી. નોકરી કરતાં કરતાં હું સ્કીલ ડેવલોપ કરતો તો કમાણી કરવામાં સમય લાગી જતો. એટલે મેં ચા નો જ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, આ રિસ્ક ફ્રી બિઝનેસ છે.
અંકિત નાગવંશીનું કહેવું છે કે પરિવારમાં હું મોટો છું. મારા ત્રણ નાના ભાઈ-બહેન છે. ઘણા સમય પહેલા મારા માતાપિતાનું નિધન થયું હતું. જેટલાં પણ યુવાનો છે, તે બધાને હું એટલું જ કહેવા માંગુ છું, કે ધંધો શરૂ કરવાની મારી વ્યક્તિગત ઇચ્છા છે.
ખરાબ સમય આવે છે, ત્યારે પ્રશ્નો પૂછનારા લોકો મદદ માટે આવતા નથી. જો તમારી પાસે કોઈ વિશેષતા અથવા કોઈ કુશળતા હોય તો તે વધુ સારું છે, તેને છુપાવશો નહીં. હાલમાં, અમે દિવસ દરમિયાન 300 લોકોને ચા આપીએ છીએ.