મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહૂજા બુધવારે લંડનથી ભારત પરત ફરી હતી. ઇગ્લેન્ડમાં કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બંન્ને ભારત પરત ફર્યા હતા. સોનમે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લંડનથી ઇન્ડિયા સુધીની સફરનો આખો અનુભવ શેર કર્યો હતો. નોંધનીય છે કે સોનમના પતિ આનંદ બિઝનેસમેન છે અને તે મોટાભાગનો સમય લંડનમાં જ રહે છે. લગ્ન બાદ સોનમ પણ લંડન આવતી-જતી રહેછે. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 140થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દીના મોત થઇ ચૂક્યા છે. જ્યારે દુનિયાભરમાં અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસના કારણે સાત હજારથી વધુ લોકોના મોત થયા છે.
વીડિયોમાં સોનમ જણાવે છે કે આનંદ અને હું દિલ્હી પાછા ફરી ગયા છીએ. અમે અમારા રૂમમાં કેદ છીએ. અમે એ તમામ લોકોનો આભાર માનીએ છીએ જેણે એરપોર્ટ અને ફ્લાઇટ પર હાજર હતા. બધુ સ્મૂથલી ચાલી રહ્યું હતું.તમામ લોકોએ પોતાનું કામ જવાબદારીપૂર્વક કર્યું.
સોનમે આગળ લખ્યું કે, જ્યારે અમે લંડનથી નીકળ્યા હતા તો ત્યાં કોઇ સ્ક્રીનિંગ કરાયું નહોતું. હું અને આનંદ એ જોઇને આશ્વર્યમાં હતા. ત્યારબાદ જ્યારે અમે ઇન્ડિયા પહોંચ્યા તો ઇમિગ્રેશન પર જતા અગાઉ અમારી પાસે એક ફોર્મ ભરવામાં આવ્યું જેમાં છેલ્લા 25 દિવસોમાં કરવામાં આવેલા પ્રવાસની ડિટેઇલ્સ માંગવામાં આવી હતી.
સોનમે કહ્યું કે, આનંદ અને મેં એવા દેશોનો પ્રવાસ નહોતો કર્યો જ્યાં વાયરસ વધુ ફેલાયો છે. બાદમાં અમારું તાપમાન માપવામાં આવ્યું. અમે બંન્નેનું તાપમાન નોર્મલ રહ્યું. આનંદ અને મારી સાથે અમારા સ્પોર્ટબોય સુજીત પણ હતા.
સોનમે કહ્યુ કે, જ્યારે અમે ઇમિગ્રેશન પર હતા ત્યારે વારંવાર પાસપોર્ટ પર ચેક કરવામાં આવ્યું હતું કે અમે ક્યાં ક્યાં પ્રવાસ કર્યો છે. અમે મોજા અને માસ્ક પહેર્યા હતા. બાદમાં અમને અમારો સામાન આપવામાં આવ્યો અને અમે આગળ વધ્યા. હું ઇન્ડિયા પોતાના ઘરે આવીને ખુશ છું.
સોનમે કહ્યુ કે, આનંદ અને મારામાં વાયરસના કોઇ લક્ષણ મળ્યા નથી. જોકે, અમે સેલ્ફ ક્વારેંટાઇન કરી રહ્યા છીએ કારણ કે અમે અમારા માતાપિતા અને દાદા-દાદી સાથે રહીએ છીએ.
તેણીએ કહ્યું કે, હું તમામ લોકોને આગ્રહ કરું છું કે જવાન હોવાના કારણે આપણે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની ઇમ્યુનિટી નબળી હોય છે તો તેમનો ખાસ ખ્યાલ રાખો.
નોંધનીય છે કે સોનમ કપૂરે આઠ મે 2018ના રોજ દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહૂઝા સાથે લગ્ન કર્યા હતા.