મુંબઈઃ કોરોનાના લોકડાઉન દરમિયાન શાહરૂખ ખાન ફેન્સ સાથે ટ્વિટર પર જોડાયો છે. તેમણે #ASKSRK સેશન કર્યું હતું, જેમાં કેટલાંક ફેન્સે અજીબોગરીબ સવાલ પણ પૂછ્યા હતાં. જોકે, શાહરુખ પોતાના રમૂજી સ્વભાવ માટે જાણીતો છે અને તેણે આ અજીબોગરીબ સવાલોના પણ હટકે સ્ટાઇલમાં જવાબ આપ્યા હતાં.
એક ફેને તો શહરૂખ ખાનને પીએમ કેયર્સ ફંડમાં દાન અંગે સવાલ પૂછ્યો. જેનો જવાબ શાહરૂખ ખાને જબરદસ્ત આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાવાઈરસ સામેની લડાઇમાં શાહરૂખ ખાને પોતાની ચાર માળની ઓફિસ બીએમસીને ક્વૉરન્ટીન સેન્ટર બનાવવા આપી દીધી છે. આટલું જ નહીં શાહરુખે અલગ-અલગ ફંડમાં નાણાકીય સહાય કરી છે.
આસ્ક SRK સેશનમાં એક ફેને શાહરૂખને સવાલ પૂછતાં કહ્યું, “સાચું કહેજો, કેટલું દાન આપ્યું પીએમ ફંડમાં?” જેનો જવાબ આપતાં શાહરૂખ ખાને કહ્યું, ‘ખરેખર, કેશિયર છો તમે?’ હવે શાહરૂખની આ ટ્વીટ જબરદસ્ત વાયરલ બની છે અને લોકો પોતપોતાનાં મંતવ્ય પણ આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખે #AskSRK સેશન શરૂ કરતાં પહેલાં એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું, ‘એક સારો આઇડિયા છે. ચાલો #AskSRK રમીએ. પરંતુ વધારે લાંબા સમય માટે નહીં, કારણકે મારે જવાનું છે.. કઈ નહીં.. ચાલો આ હેશટેગ સાથે શરૂ કરીએ.’