‘હું કોરોના પોઝિટિવ છું…બધાને મારીને જ મરીશ’, ગામમાં ધમકીભર્યાં પત્રથી તમામની ઊંઘ હરામ
સંગરૂર, પંજાબઃ દેશભરમાં કોરોનાવાઇરસને પગલે લૉકડાઉન છે. લોકો તેમના ઘરની બહાર પણ આવી શકતાં નથી. એવામાં પંજાબના સંગરૂર જિલ્લાના રામપુરા ગામથી એક ઘટના સામે આવી છે. અહીં ગામમાં એક દીવાલ પર મળેલાં પોસ્ટરથી આખા ગામમાં ડર ફેલાયો છે.
દીવાલ પર ચોંટાડેલાં પોસ્ટરમાં લખેલું હતું કે, ‘અલ્લાહ હૂં અકબર, મને કોરોના છે, દરેકને મારીને જ મરીશ, હવે આખા ગામમાં આ સંક્રમણ ફેલાવીને બદલો લઈશ. દરેક લોકોને મારવા એ મારો ઉદ્દેશ છે અત્યાર સુધી હું 40 લોકોને મળી ચૂક્યો છું.’
આ પોસ્ટરમાં લાલ શાહીથી પંજાબી ભાષામાં લખેલું હોવાની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ પોસ્ટરને સેનેટાઇઝ કરી તેમના કબજામાં લીધું છે. આ પોસ્ટર જેને લખ્યું છે, તેને કોઈ શોધી શકતું નથી, તે દરેકને મારીને જ રહેશે.
પોલીસે આ માટે બનાવેલી એક સ્પેશિયલ ટીમને તપાસમાં જાણવા મળ્યું કે, આ કોઈ અજાણ્યા વ્યક્તિએ લખ્યું છે. ગામલોકોએ કહ્યું કે, અમારા ગામમાં કોઈ કોરોના પોઝિટિવ નથી, કોઈ જાણી જોઈને ગામનો માહોલ ખરાબ કરી રહ્યું છે.