પિતાની અંતિમ વિધિમાં પરમિશન મળ્યાં બાદ પણ કેમ ન પહોંચી શકી રિદ્ધિમા કપૂર? જાણો કારણ
હિન્દી સિનેમાનાં વધુ એક દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરે 30 એપ્રિલ 2020 ફાની દુનિયા છોડી દીધી. તેમના અંતિમ સંસ્કારમાં પરિવારનાં 20 લોકો હાજર રહ્યા હતા. દુખદ વાત એ છે કે, તેમના અંતિમ સંસ્કાર સમયે પુત્રી રિદ્ધિમા ઈચ્છતાં પણ પહોંચી શકી નહીં. જોકે, તેમને ગુરુવારે સવારે દિલ્હી પોલીસ દ્વારા મૂવમેન્ટ પાસ આપવામાં આવ્યા હતા પરંતુ મુંબઈની લાંબી મુસાફરીને કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી ન હતી.
ઋષિ કપૂરનાં અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાન ઘાટમાં ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં કરવામાં આવ્યા હતા. આ અવસરે સૈફ અલી ખાન, કરીના કપૂર, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, નીતુ કપૂર, આદર જૈન, કૃણાલ કપૂર અને કપૂર પરિવારના અન્ય નજીકના મિત્રો સામેલ થયા હતા.
તેમને અંતિમ વિદાય આપવા માટે નજીકના અન્ય પાંચ લોકો પણ તેમની સાથે જોડાયા હતા. ઋષિનું મોત એ આખા કપૂર પરિવાર માટે મોટો આંચકો છે. ખાસ કરીને નીતુ કપૂર, રણબીર અને રિદ્ધિમા કપૂર માટે આ દુ: ખી સમયનો સામનો કરવો ખૂબ જ પડકારજનક છે.
રિપોર્ટ પ્રમાણે રિદ્ધિમા દિલ્હીમાં રહે છે. લોકડાઉનને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, ઋષિનાં દિલ્હી ખાતેનાં સગાઓને માર્ગ દ્વારા મુંબઈ લાવવાની મંજૂરી મળી ગઈ છે. ઋષિ કપૂરની પુત્રીએ સાઉથ ઈસ્ટ ડીસીપી પાસેથી મૂવમેન્ટ પાસ માટેની પરવાનગી લીધી હતી.
તેમની પરવાનગી સવારે 10.30 વાગ્યે મંજૂર કરવામાં આવી હતી. તેમની પુત્રી રિદ્ધિમાએ વાયા રોડ જવાની તૈયારી કરી લીધી હતી પરંતુ તેને મુંબઈ પહોંચવામાં 14થી 15 કલાકનો સમય લાગે એવો હતો. આવી સ્થિતિમાં બીએમસીએ કહ્યું હતું કે, સંજોગો જોતાં અંતિમ સંસ્કાર 3 વાગ્યા સુધીમાં કરવા જ પડશે.
રિદ્ધિમા અને પરિવારના બાકી લોકોએ ફરી તેના ન આવવા પર સંમતિ આપી. જોકે, ઋષિ કપૂરની પુત્રી તેમની ખૂબ જ નજીક રહી હતી. તેમની પાસે તેનું ન પહોંચવું એ પરિવાર અને ખુદ રિદ્ધિમા માટે મુશ્કેલ નિર્ણય હતો.
ઋષિ કપૂરના વિદાય બાદ સમગ્ર દેશમાં શોકનું મોજુ છે. બોલિવૂડ સદમામાં છે કારણ કે તેણે એક દિવસ પહેલા ઇરફાન ખાનને ગુમાવ્યો હતો. ફક્ત 24 કલાકમાં જ ઋષિ કપૂરની વિદાયથી ભારે આંચકો લાગ્યો છે.