Only Gujarat

Bollywood

રવિના ટંડને દુનિયાથી છુપાઈને અક્ષય કુમાર સાથે કરી હતી સગાઈ પરંતુ એક દિવસ….

મુંબઈઃ 90ના દશકની એક્ટ્રસ રવીના ટંડન તે સમયની ફેમસ એક્ટ્રસમાંથી એક હતી. આજે પણ તેની સ્ટારડમમાં કોઈ કમી આવી નથી. તેમની એક ઝલક મેળવવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. રવીના તેમની ફિલ્મ ઉપરાંત પર્સનલ લાઇફને લીધે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. એક સમય હતો જ્યારે તે હિન્દી સિનેમા જગતના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારને પ્રેમ કરતી હતી અને બંનેએ છુપાઈને સગાઈ પણ કરી લીધી હતી. મહત્ત્વનું છે કે, રવીના ટંડન 46 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 26 ઑક્ટોબર, 1974માં મુંબઈમાં થયો હતો. એક ભૂલને લીધે રવીના અને અક્ષયની કહાની અધૂરી રહી ગઈ હતી.

‘ટિપ ટિપ બરસા પાની’ ગીત પર જબરદસ્ત પર્ફોમન્સ આપનારી એક્ટ્રસ રવીના ટંડન અને અક્ષયની પ્રેમ કહાની અધૂરી રહી ગઈ હતી. બંને એકબીજાને ક્યારે દિલ આપી બેઠા ખબર જ નહોતી. રિપોર્ટ્સ મુજબ, 90નાં દશકમાં અક્ષય અને રવીનાને પ્રેમ ફિલ્મ ‘મોહરા’ના સેટ પર થયો હતો. વર્ષ 1994માં આવેલી આ ફિલ્મના રિલીઝ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયાં હતાં.

ઑનસ્ક્રીનની સાથે-સાથે બંનેની જોડી ઑફસ્ક્રીન કેમેસ્ટ્રીની ચર્ચામાં પણ હતાં. બંનેની લવ સ્ટોરી બિલકુલ પરફેક્ટ લાગતી હતી. બંને પંજાબી હોવાની સાથે એકબીજા સાથે સારા લાગતાં હતાં. બધા લોકોને લાગતું હતું કે બંને જલદી જ પોતાના લગ્નની જાહેરાત કરી દેશે. રવીનાએ ફિલ્મ સાઇન કરવાનું પણ બંધ કરી દીધું હતું કેમ કે અક્ષય ઇચ્છતો હતો કે તે હાઉસવાઇફ બને.

વર્ષ 1990માં રવિનાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, અક્ષય કુમારે તેને કહ્યું છે કે, ‘જેવું તેનું લાસ્ટ શૂટિંગ પુરું કરી લેશે પછી અક્ષય તેની સાથે લગ્ન કરશે.’ રવિના આ દરમિયાન એ પણ ખુલાસો કર્યો કે, બંનેએ મંદિરમાં છુપાઇને સગાઈ પણ કરી લીધી હતી. અક્ષય આ વાતને છુપાવવા માગતાં હતા કેમ કે આ વાતથી તેમને પરિવાર અને ફેન્સને ગુમાવવાનો ડર હતો. થોડા સમય સુધી રવીના-અક્ષય વચ્ચે બધુ સારું ચાલતું રહ્યું, પણ વર્ષ 1996માં ‘ખિલાડીઓ કા ખિલાડી’ના રિલીઝ પછી બધુ બદલાઈ ગયું.

એટલું જ નહીં તે દરમિયાન અક્ષય અને રેખાના લિન્કઅપના સમાચાર પણ રેખાને હેરાન કરવા લાગ્યાં. અક્ષયના રંગીન મિઝાઝને લીધે તે હેરાન ચાલતી હતી. તે ઉપરથી રેખાના સાથી એક્ટર સાથે વધતી નજીકતાને લીધે તેમને ઝાટકો લાગ્યો હતો. રવીના આ બેવફાઈ સહન કરી શકી નહીં અને અક્ષયની આ એક ભૂલની લીધે તેમની સાથે સંબંધ તોડી દીધો.

રવીનાએ મીડિયામાં અક્ષય વિરુદ્ધ કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતાં તેમણે કહ્યું કે, ‘પ્રેમમાં વિશ્વાસ જ સૌથી મોટી વસ્તુ હોય છે અને અક્ષયે તેમનો વિશ્વાસ તોડ્યો છે.’ એવું પણ કહેવામાં આવે છે કે, રવીના સાથે સગાઈ કર્યાં ઉપરાંત અક્ષય બીજી બે છોકરીઓ સાથે પણ સગાઈ કરી ચૂક્યો હતો.

રવીનાએ મીડિયામાં અક્ષય વિરુદ્ધ કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતાં તેમણે કહ્યું કે, ‘પ્રેમમાં વિશ્વાસ જ સૌથી મોટી વસ્તુ હોય છે અને અક્ષયે તેમનો વિશ્વાસ તોડ્યો છે.’ એવું પણ કહેવામાં આવે છે કે, રવીના સાથે સગાઈ કર્યાં ઉપરાંત અક્ષય બીજી બે છોકરીઓ સાથે પણ સગાઈ કરી ચૂક્યો હતો.

અક્ષયે દિલ તોડવા માટે રવીનાએ માફી માગી પણ, રવીનાએ તેને માફ કર્યો નહીં. આ રીતે પ્રેમ કહાનીનો ખરાબ અંત આવ્યો. થોડાં સમય પછી રવીનાએ ફિલ્મ ફાઇનાન્સર અનિલ થડાની સાથે અને અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતાં.

You cannot copy content of this page