ટીવીના જાણીતા કોમેડિયનના એકના એક દીકરાનું જન્મદિવસ પર થયું મોત, રડી રડીને હાલ થયા બેહાલ!
મુંબઈઃ જાણીતા કોમેડિયન તથા એક્ટર રાજીવ નિગમ આજકાલ પોતાના જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ નવેમ્બરના રોજ રાજીવના 9 વર્ષીય પુત્ર દેવરાજનું અવસાન થયું હતું. આઠ નવેમ્બરના રોજ રાજીવ નિગમનો જન્મદિવસ હતો. કેક કપાય તે પહેલા જ દીકરાએ અંતિમ શ્વાસ લીધા હતા. રાજીવ તથા તેનો પરિવાર હાલમાં શોકમાં છે. ઉલ્લેખનીય છે કે રાજીવને બે દીકરીઓ તથા એક દીકરો હતો. એકના એક દીકરાથી રાજીવ ભાંગી પડ્યો છે.
રાજીવે ટીવી પર પોતાની કોમેડીથી દર્શકોના દિલ જીત્યા હતા. રાજીવ ઉત્તર પ્રદેશના કાનપુરમાં રહે છે. તે ટીવીના જાણીતા કોમેડિયનમાંથી એક છે. તેણે અનેક શોમાં માટે રાઈટિંગ પણ કર્યું છે. રાજીવે 1998માં કોમેડી શો ‘મૂવર્સ એન્ડ શેખર્સ’માં રાઈટિંગનું કામ કર્યું છે. 2006માં તે ‘ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં જોવા મળ્યો હતો. આ શોમાં તેની કોમેડી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી.
ત્યારબાદ રાજીવે ‘કોમેડી સર્કસ’ તથા ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ સહિતના શોમાં કામ કર્યું હતું અને પોતાની અલગ ઓળખ બનાવી હતી. હાલમાં રાજીવની હાલત ઘણી જ ખરાબ છે. દીકરાના આકસ્મિક નિધનની માહિતી રાજીવે ફેસબુકના માધ્યમથી આપી હતી.
રાજીવ નિગમે દીકરાના અવસાન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘મને મારા જન્મદિવસ પર આ તે કેવી સરપ્રાઈઝ મળી. મારો દીકરો દેવરાજ મને છોડીને જતો રહ્યો. બર્થડે કેક કાપ્યા વગર જ. પાગલ, આવી કોઈ ગિફ્ટ આપે છે.’ ઉલ્લેખનીય છે કે રાજીવનો દીકરો અવાર-નવાર બીમાર રહેતો હતો. 2018માં તેની તબિયત ઘણી જ ખરાબ થઈ હતી અને તેને ICUમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
તે સમયે રાજીવ નિગમે ચાહકોને પ્રાર્થના કરી હતી કે તેના દીકરા માટે પ્રાર્થના કરવામાં આવ્યા. આ વર્ષે સાત ઓગસ્ટના રોજ રાજીવના પિતાનું મોત થયું હતું. રાજીવ અનેક હાસ્ય પ્રોગ્રામમાં જોવા મળ્યો છે.