જ્યારે પ્રિયંકા ચોપરાના ઘરનો દરવાજો આઈટીની ટીમે ખખડાવ્યો, ખોલ્યો શાહિદ કપૂરે અને…
મુંબઈઃ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ તેમના ઘરોમાં કેદ છે. આમ તો, સેલેબ્સ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને ચાહકોને અપડેટ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં સેલેબ્સને લગતી ઘણી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી જ એક સ્ટોરી પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂર વિશે વાયરલ થઈ રહી છે.
વાસ્તવમાં આ કિસ્સો ત્યારનો છે, જ્યારે પ્રિયંકા અને શાહિદના લગ્ન નહોતાં થયાં અને બંનેનું અફેર ચાલી રહ્યુ હતુ. જોકે, બંનેએ ક્યારેય અફેર સ્વીકાર્યું નહોતુ. મામલો 2011નો છે. સવારે 7.30 વાગ્યે આવકવેરા વિભાગે પ્રિયંકાના ઘરે દરોડો પાડ્યો હતો.
જ્યારે આઇટી અધિકારીઓએ પ્રિયંકાના વર્સોવા સ્થિત ફ્લેટમાં બેલ વગાડ્યો ત્યારે શાહિદ કપૂરે ટુવાલ પહેરીને દરવાજો ખોલ્યો. શાહિદને આ સ્થિતિમાં જોઇને અધિકારી મૂંઝવણમાં મૂકાઈ ગયા કે તે ખોટા ઘરે આવ્યા છે.
જ્યારે અધિકારીઓએ શાહિદને પ્રિયંકા વિશે પૂછ્યું તો તે ગભરાઈ ગયો અને બેડરૂમ તરફ દોડી ગયો. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાના ઘરે આ રેડ તેની બેનામી સંપત્તિઓને કારણે પડી હતી.
બાદમાં જ્યારે મીડિયામાં એ વાત ફેલાઇ હતી કે શાહિદ પ્રિયંકાના ઘરે છે ત્યારે પ્રિયંકાએ સ્પષ્ટતા આપતી વખતે વિવિધ બહાના બનાવ્યા હતા.
પ્રિયંકાએ સ્પષ્ટતા આપી હતી કે, “હા, તે સમયે શાહિદ મારા એપાર્ટમેન્ટમાં હતો. તે મારા ઘરથી ત્રણ મિનિટ દૂર રહે છે. મારી માતા ઘરે કોઈ કારણોસર નહોતી. તેથી જ જ્યારે દરોડા પડ્યા તો મેં શાહિદને ફોન કર્યો. અને તેઓ મારા ઘરે દોડી આવ્યા હતા.”
અહેવાલો અનુસાર શાહિદ અને પ્રિયંકાની નિકટતા ફિલ્મ ‘કમિને’ (2009) ના સેટ પર વધી હતી. જોકે, આ બંનેએ કદી સ્વીકાર્યું નહીં પરંતુ તે સમયે તેઓ મોટાભાગે જાહેર સ્થળો અને પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા.
એવું કહેવામાં આવે છે કે ‘તેરી મેરી કહાની’ (2012)ના સેટ પર કોઈ વાતને લઈને તેમનો ઝઘડો થયો હતો. એવા અહેવાલો પણ મળ્યા હતા કે શૂટિંગ દરમિયાન બંનેએ એકબીજા સાથે વાત પણ કરતા નહોતા.
હવે બંનેના લગ્ન થઈ ગયા છે. પ્રિયંકાએ અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે, તો શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે.