Only Gujarat

National

પ્રેમિકાને મળવા છત પર કુદીને આવેલા પ્રેમીને મળી એવી સજા કે સાંભળીને કંપારી છૂટી જશે

મોગા, પંજાબ: પ્રેમિકાના વારંવાર કૉલ કર્યા બાદ અડધી રાત્રે છત કુદીને પહોંચેલા 21 વર્ષના પ્રેમીને એ નહોતી ખબર કે આ મુલાકાત તેની જિંદગીની છેલ્લી મુલાકાત હશે. પ્રેમમાં દર્દનાક મોત આપવાની આ ઘટના મોગા જિલ્લાના ધલ્લેકે ગામની છે. છોકરીના પરિવારજનોએ પ્રેમીને પકડીને બેરહેમીથી માર માર્યો. તેના ગુપ્તાંગોને પણ ઈજા પહોંચાડી. આખી રાત તેને રૂમમાં બંધ કરીને રાખ્યો. તેને પાણી પણ ન આપવામાં આવ્યું. સવારે ગામના લોકો જ્યારે એકઠા થઈને પહોંચ્યા, ત્યારે જઈને છોડ્યો. પરંતુ છોકરાને બચાવી ન શકાયો. આ ઘટના બાદ પ્રેમિકા અને તેનો પરિવાર ગાયબ છે.

સાંજથી રાત સુધી પ્રેમિકાએ કર્યા હતા 5 કૉલ
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મંગળવારે મોડી સાંજ સુધી પ્રેમિકાએ પ્રેમીને 5 ફોન કર્યા હતા. પહેલો ફોન તેણા સાંજે સાડા સાત વાગ્યે કર્યો હતો. તો 4 ફોન રાત્રે 12 થી 1 વચ્ચે કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ફોન બાદ પ્રેમી તેને મળવા પહોંચ્યો હશે. ત્યાં , છોકરીને પરિવારજનોએ બંનેને એકસાથે જોઈ લીધા અને પ્રેમીને પકડીને માર માર્યો.

છોકરાની કાકીનો આરોપ છે કે યુવકે જણાવ્યું કે તેને અંધારિયા રૂમમાં બંધ કરીને રાખવામાં આવ્યો હતો. તેને પાણી પણ ન આપવામાં આવ્યું. યુવકનું સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. સદર પોલીસ સ્ટેશનના પ્રભારી કર્મજીત સિંહે જણાવ્યું કે છોકરાના મો, પગ, ગુપ્તાંગ પર ઉંડા ઘા ના નિશાન મળ્યા છે. ડીએસપી બલજિંદર સિંહ ભુલ્લરે કહ્યું કે મૃતકના પિતા નૈબ સિંહની ફરિયાદ પર છોકરી, તેના માતા-પિતા, ભાઈ અને ત્રણ પિતરાઈ ભાઈઓ સામે હત્યા સહિતના મામલે દાખલ કરવામાં આવ્યો છે.

6 મહિના પહેલા શરૂ થઈ હતી પ્રેમ કહાની…..
મૃતકની માતા મંજીત કૌરે જણાવ્યું કે, તેના બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેમાંથી એક દીકરીની મોત ટીબીથી થઈ ગઈ હતી. ઈંદ્રજીત તેનો નાનો દીકરો હતો. તે ટાઈલ્સ લગાવવાનું કામ કરતો હતો. ફસલના સમયે ખેતરોમાં કામ કરતો હતો. આ સમયે ખેતીના કામમાં વ્યસ્ત હતા. કહેવામાં આવી રહ્યું હતું કે લગભગ 6 મહિના પહેલા તેના પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.


મંગળવારે રાત્રે 8 વાગ્યે ઈંદ્રજીત જમ્યા બાદ છત પર સુવા ચાલ્યા ગયા. બુધવારે સવારે લગભગ 5 વાગ્યે જ્યારે ઈંદ્રજીતને છત પર ન જોવા મળ્યો, તો તેમને શંકા થઈ. તેઓ છોકરીના ઘરે પહોંચ્યા, પરંતુ કોઈને અંદર ન ઘુસવા દેવાયા. બાદમાં ગામના કેટલાક લોકોને લઈને તેઓ ફરી છોકરીના ઘરે પહોંચ્યા. ત્યારે ઈંદ્રજીતને છોડવામાં આવ્યો. પરંતુ તેને બચાવી ન શકાયો. ઘટના બાદ છોકરીના પરિજનો ગાયબ છે.

You cannot copy content of this page