મુંબઈઃ ‘બાહુબલી’ ફેમ પ્રભાસના લગ્ન અંગેના સમાચાર અનેકવાર ચર્ચામાં હોય છે. થોડાં મહિના પહેલાં એક્ટ્રસ અનુષ્કા શેટ્ટી પ્રભાસ સાથે લગ્ન કરશે તેવાં સમાચારો સામે આવ્યા હતાં. તો હમણાં થોડાં દિવસો પહેલાં ચિંરજીવીની ભત્રીજી અને 2016માં આવેલી ‘મનાસૂ’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનારી નિહારીકા કોનિડેલાનાં લગ્ન પ્રભાસ સાથે થવાના સમાચાર પણ સામે આવ્યા હતાં. જોકે, આ સમાચાર પર ખુદ નિહારીકાએ નિવેદન આપ્યું છે.
26 વર્ષિય નિહારીકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ પ્રકારના તમામ સમાચારમાં કોઈ તથ્ય નથી અને હાલ તે કોઈ સાથે લગ્ન કરવાની નથી.
ઉલ્લેખનીય છે કે, ચિરંજીવીએ પણ થોડાં મહિના પહેલાં કહ્યું હતું કે, નિહારીકાનું ફેમિલી પણ અત્યારે ઇચ્છે છે કે, તે કરિયર પર ધ્યાન આપે. જોકે, નિહારીકા અત્યારે લગ્ન વિશે વિચારે તેવું ચિંરજીવી પણ ઇચ્છતા નથી.
ઉલ્લેખનીય છે કે, નિહારીકા કેનિડેલા ચિરંજીવીના નાના ભાઈ નાગેન્દ્ર બાબૂની દીકરી છે. નાગેન્દ્ર બાબૂ તેલૂગુ એક્ટર અને પ્રોડ્યૂસર છે. નિહારીકાના ભાઈ વરુણ તેજ પણ એક્ટર છે.
રામચરણ તેજા, અલુ અર્જુન અને અલુ શિરીષ પણ નિહારીકાના કઝીન છે. નિહારીકાએ અત્યાર સુધી ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.