Only Gujarat

National

પતિ નપુંસક છે કહીને વાંરવાર પિયર ચાલી જતી હતી પત્ની અને એક દિવસ…

સાસારામ, બિહાર: પતિને નપુંસક કહીને પત્ની પિયર જતી રહી. જેને ઘરે લાવવા માટે પતિ સાસરે પહોંચ્યો. પરંતુ સંદિગ્ધ હાલતમાં તેની લાશ મળી આવી. તો મૃતકના પિતાએ દીકરાની પત્ની, સાસુ અને સસરા પર હત્યાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. આ મામલો સાસારામના દિનારા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ઈંદોર ગામનો છે.

આ છે આખો મામલો
કરગહરના નિવાસી જવાહર પાલની પત્ની નીતૂ દેવી પોતાના પતિ પર નામર્દ હોવાનો આરોપ લગાવતી હતી. જેને લઈને અનેક વાર પંચાયત પણ બોલાવવામાં આવી. કેટલાક દિવસ પહેલા જવાહર પોતાની પત્નીને લેવા માટે સાસરે ગયો. જેની લાશ હવે પોખરામાંથી મળી આવી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. શબને પોસ્ટ મોર્ટમ માટે સાસારામની સદર હૉસ્પિટલ મોકલી દેવામાં આવ્યું છે.

પોલીસે વ્યક્ત કરી આવી આશંકા
મૃતકના પિતાએ આ મામલે જવાહરની પત્ની નીતૂ દેવી, સાસુ અને સસરા વિજય પાલ પર પોતાના પુત્રની હત્યાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ત્વરિત કાર્રવાઈ કરીને ત્રણેયની ધરપકડ કરી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકના શરીર પર ઈજાના પણ નિશાન છે. જેનાથી અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે હત્યા કરીને મૃતદેહને ઠેકાણે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

1 વર્ષ પહેલા થયા હતા લગ્ન, અનેક વાર થઈ ચુકી હતી પંચાયત
ગયા વર્ષે જ જવાહર અને નીલૂના લગ્ન થયા હતા. લગ્ન બાદ જ નીલૂ અને જવાહર તણાવમાં રહેતા હતા. વારંવાર પત્ની પિયર જતી રહેતી હતી, જેનાથી જવાહર નારાજ થઈ જતો હતો. બાદમાં ખબર પડી હતી કે નીલૂએ જવાહર પર નપુંસક હોવાનો આરોપ લગાવ્યો છે, જે બાદ બંને પક્ષોના લોકોએ પંચાયત પણ બોલાવી હતી. જેમાં એ નિર્ણય થયો કે નીલૂ પોતાના ઘરે પાછી આવી જાય, જે બાદ જવાહર પોતાની પત્નીને લેવા માટે સાસરે ગયો, પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી.

You cannot copy content of this page