આખી દુનિયામાં ફક્ત 112 લોકો જ કરે છે આ નોકરી, જાણો એવું તો શું કામ કરવાનું હોય છે?
એક સમયે બહુ મર્યાદિત ક્ષેત્રો એવાં હતાં, જેમાં લોકો કરિયર બનાવવાનું સપનું જોતા, પરંતુ હવે સમય બદલાઇ ગયો છે. ઉદારીકરણના આ સમયમાં એક-બાદ એક એમ ઘણાં અલગ-અલગ ક્ષેત્રોમાં નોકરીઓ ઊભી થઈ છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય કે, એક એવું પણ ક્ષેત્ર છે, જેમાં આખી દુનિયામાં માત્ર 112 લોકો જ આ કામમાં છે. આ પ્રોફેશન છે પાણીના ટેસ્ટિંગનો. જી હા, જે રીતે ખાવા-પીવાની વસ્તુઓનું અને વાઇનનું ટેસ્ટિંગ થાય છે, એ જ રીતે હવે પાણીના ટેસ્ટિંગનો પ્રોફેશન પણ સામે આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, પાણીના પણ અલગ-અલગ ટેસ્ટ થાય છે, જેમાં હલકો, ફ્રૂટી, વુડી એમ અલગ-અલગ ટેસ્ટ હોય છે. ધ હિંદૂ બિઝનેસ લાઇનના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રોફેશનમાં માત્ર એકજ વ્યક્તિ છે, જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એકમાત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે, આગામી 5-10 વર્ષમાં પાણી ટેસ્ટિંગ સેક્ટરમાં માંગ બહુ વધશે.
ઉલ્લેખનિય છે કે, પાણીના પણ અલગ-અલગ ટેસ્ટ થાય છે, જેમાં હલકો, ફ્રૂટી, વુડી એમ અલગ-અલગ ટેસ્ટ હોય છે. ધ હિંદૂ બિઝનેસ લાઇનના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રોફેશનમાં માત્ર એકજ વ્યક્તિ છે, જેનું નામ છે ગણેશ અય્યર. ગણેશ અય્યર દેશના એકમાત્ર સર્ટિફાઇડ વોટર ટેસ્ટર છે. ગણેશે જણાવ્યું કે, આગામી 5-10 વર્ષમાં પાણી ટેસ્ટિંગ સેક્ટરમાં માંગ બહુ વધશે.
ગણેશ અય્યરના જણાવ્યા અનુસાર, પાણીની અલગ-અલગ ઓળખ હોય છે અને તે પોતાની રીતે યૂનિક હોય છે. તેના ફાયદા અને ટેસ્ટ પણ અલગ હોય છે. ગણેશનું કહેવું છે કે, આગામી દિવસોમાં રેસ્ટોરેન્ટ બિઝનેસમાં આ પ્રોફેશનની માંગ બહું વધશે. ગણેશ અય્યર બેવરેજ કંપની Veen ના ભારત અને ભારતીય મહાદ્વિપના ઓપરેશન નિર્દેશક છે.