કોરોના વાયરસને શોધવા માટે શરદી-ખાંસીને ઘણીવાર પ્રારંભિક લક્ષણ માનવામાં આવે છે. પરંતુ એક નવા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે જો તમને ગંધ અને સ્વાદ પારખવાની ક્ષમતા ઘટી જાય તો તમને ચેપ લગી શકે છે. આ લક્ષણો શરદી પહેલાં પણ દેખાવા માંડે છે. એક અભ્યાસ મુજબ, આ બે લક્ષણોના આધારે શંકાસ્પદ કોરોના ચેપ ફેલાતા પહેલા તેને ક્વોરેન્ટાઈન કરવા માટે મદદ મળી શકે છે.
JAMA ઓટોલરીંગોલોજી હેડ અને નેક સર્જરી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોએ 204 કોવિડ -19 દર્દીઓનો સર્વેક્ષણ કર્યુ અને શોધી કાઢ્યું કે, તેમાંના 55 ટકામાં સ્વાદમાં ઘટાડો થયો હતો, જ્યારે સુંઘવામાં કમી લગભગ 41 ટકા જોવા મળી છે. સર્વેક્ષણના પરિણામોના આધારે સંશોધનકારોએ કહ્યુ હતું કે સતત સ્વાદ અને ગંધને સુંઘવામાં કમીએ કોવિડ -19ના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.
ટેલિફોન સર્વે અધ્યયનમાં 5 માર્ચથી 23 માર્ચ,2020ની વચ્ચે કોવિડ -19 પોઝિટિવ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેઓ હોસ્પિટલમાં દાખલ હતા અથવા જેઓ સ્વસ્થ થઈ ઘરે પરત આવ્યા હતા. અધ્યયન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 359 દર્દીઓમાંથી 116 દર્દીઓમાં સ્વાદ અને ગંધની ક્ષમતામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે 113 દર્દીઓમાં માત્ર સ્વાદનો અભાવ હતો અને 85 લોકોને ફક્ત ગંધની કમી હોવાનો અહેવાલ મળ્યો છે.
સંશોધનકારોએ જણાવ્યું હતું કે, પુરુષ દર્દીઓની તુલનામાં મહિલા દર્દીઓમાં સ્વાદ અને ગંધની તીવ્ર અભાવ વધારે છે. જ્યારે,મધ્યમ વયની વ્યક્તિઓ યુવાન લોકો કરતા વધારે હતા.
સંશોધનકારો માને છે કે સ્વાદ અથવા ગંધની ખોટ એ કોવિડ -19 નો પ્રારંભિક તબક્કો છે. જો આવા લક્ષણો જોવા મળે, તો સામાન્ય વ્યવસાયી તુરંત જ આવા લોકોને ક્વોરેન્ટાઇન માટે જવાની સલાહ આપી શકે છે. સુગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડોએ કોરોનાનાં લક્ષણોમાં સૌથી છેલ્લે સમાવવામાં આવેલ છે.