હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા કોરોના દર્દીઓમાં કેટલાક અઠવાડિયા પછી પણ અમુક લક્ષણો જોવા મળી રહ્યા છે. JAMA જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં સંશોધનકારોએ આ વાત કહી છે. ઇટાલીના રિસર્ચર્સને જાણ થઈ છેકે, કોરોનાનો રોગ શરૂ થયાનાં 2 મહિના પછી પણ થાકનો અનુભવ જેવા લક્ષણો લોકોમાં રહે છે.
ઇટાલીમાં, કોરોનાથી ચેપ લાગનારા 143 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે આ રોગની શરૂઆતના 2 મહિના પછી પણ 90 ટકા લોકોને કેટલાક લક્ષણો હતા. આમાં થાકની લાગણી, શ્વાસ લેવામાં મુશ્કેલી, સાંધાનો દુખાવો શામેલ છે. રોમની એક હોસ્પિટલમાં ડોક્ટર એન્જેલો કાર્ફીએ આ અધ્યયનનું નેતૃત્વ કર્યું હતું.
ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, રિસર્ચમાં જાણ થઈ હતી કે, 60 દિવસની માંદગી પછી, ફક્ત 12.6 ટકા લોકો કોરોનાનાં લક્ષણોથી સંપૂર્ણપણે મુક્ત થઈ શક્યાં હતાં. અધ્યયન દરમિયાન, અડધા લોકોએ કહ્યું હતું કે તેમની લાઈફ ક્વોલિટી અગાઉની તુલનામાં કથળી છે. નિષ્ણાંતોએ અભ્યાસના પરિણામોને અત્યંત ચિંતાજનક ગણાવ્યા છે.
આ અગાઉ એક અધ્યયનમાં એવું જોવા મળ્યું હતું કે કોરોનાને લીધે સ્વાદ કે ગંધ પારખવાની શક્તિ જતી રહે છે. તેમાંથી 10% દર્દીઓમાં, આ લક્ષણો એક મહિના પછી બંધ થતા નથી.
હકીકતમાં, કોરોનાના નવા રોગને કારણે, ડોકટરો હજી સુધી ચોક્કસપણે જાણી શક્યા નથી કે લાંબા સમય સુધી કોરોના દર્દીઓના શરીર પર શું અસર જોવા મળશે.
જ્યારે, ઇટાલીના અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું કે કોરોનાથી સાજા થયેલા લગભગ 55 ટકા લોકોમાં બે મહિના પછી ત્રણ કે તેથી વધુ લક્ષણો જોવા મળે છે.
જ્યારે 55 ટકા દર્દીઓમાં એક અથવા બે લક્ષણો હતા. જ્યારે, 43 ટકા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી અને 21 ટકા લોકોને છાતીમાં દુખાવો થતો હતો. જો કે, આ બધા દર્દીઓ કોરોનાથી નેગેટિવ જાહેર કરાયા હતા.