તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષથી લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. શોના દરેક કિરદારની પોતાની જ ખાસિયત છે. શોના સૌથી ચર્ચિત અને ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ અને દયાભાભી છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી દિશા વાકાણી દેખાતા જ નથી. દયાનો કિરદાર નિભાવતી દિશાને શોમાં જોવા ચાહકો તરસી ગયા છે.
વચ્ચે અહેવાલો આવ્યા હતા કે મેકર્સ શો માટે નવી દયા બહેનની શોધ કરી રહ્યા છે. પરંતુ મેકર્સનું કહેવું છે કે તેઓ દિશાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ લાગે છે કે શોના મેકર્સને નવી દયાબેન મળી ગઈ છે. અસલમાં, એવું નથી કે મેકર્સ દિશાનું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે. પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં શિરકત કરી.
અહીં રુતુજા ઝુનકકરે દયાભાભીના અવાજમાં એ હાલો કર્યો, તો મેકર આસિત મોદી ઈમ્પ્રેસ થઈ ગયા. તેઓ કહે છે કે અમારા શોમાં આપી દો દયા ભાભીને. જે બાદ દયાભાભીની સ્ટાઈલમાં તે જેઠાલાલને ટપુ કે પાપા કઈને બોલાવે છે. તમામ લોકો ખૂબ જ હસે છે. ખૈર, ભલે આસિત મોદીએ શોમાં હસતા હસતા આ કહ્યું હોય પરંતુ ચાહકો શોમાં દિશાને જલ્દી જ જોવા માટે બેકરાર છે.
વીડિયો શેર કરતા સોની ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે – દયાભાભી બનીને જ્યારે #RutujaTheBestએ લગાવી ‘એ હાલો’ની પુકાર, તો ઝુમી ઉઠ્યા ટપુ કે પાપા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આખો પરિવાર. #IndiasBestDancer.