Only Gujarat

Bollywood FEATURED

સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં પાડોશીએ CBI સામે કર્યો સૌથી મોટો ખુલાસો

અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં રોજ નવો વળાંક આવી રહ્યો છે જ્યારે રોજ નવા-નવા ખુલાસા પણ થઈ રહ્યાં છે. કેસ સાથે સંકળાયેલા લોકોના રોજ નિવેદન પમ લેવામાં આવી રહ્યાં છે ત્યારે CBIની ટીમ સાત ગાડીઓમાં સુશાંત સિંહ રાજપૂતનાં ઘરે પહોંચી હતી. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, CBI ટીમની સાથે સુશાંતનાં કુક નીરજ અને ફ્લેટમેટ રહેલાં સિદ્ધાર્થ પિઠાની પણ હાજર રહ્યા હતા. CBIની ટીમ બપોરે 2.25 વાગ્યે પહોંચી હતી.

મીડિયા રિપોર્ટસ મુજબ, CBI અને FSLનાં 15 લોકોની ટીમ સુશાંતનાં ઘરે પહોંચી હતી. તેની સાથે 3 નજરે જોનારા લોકો પણ હતા. CBIની ટીમ સાથે સિદ્ધાર્થ, નીરજ અને દીપેશ હતા. સીબીઆઈની ટીમ સુશાંતના ઘરે પહોંચતા આસપાસના લોકોના ટોળાં વળ્યાં હતાં. હાલ સીબીઆઈની ટીમ સુશાંત કેસમાં અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે.

સુશાંતનાં ઘરે 13 જૂનની રાત્રે લાઈટ જલ્દી થઈ ગઈ હતી બંધ
13 જૂનની રાત્રે સુશાંત સિંહ રાજપૂતનાં ઘરની લાઈટ 10.30થી પોણા અગિયારની વચ્ચે બંધ હતી. મીડિયામાં જે કહેવામાં આવી રહ્યુ છેકે, તે રાત્રે પાર્ટી હતી, એવું કશું પણ ન હતુ. તેમે જણાવ્યુકે, સુશાંત સવારે 4-5 વાગ્યા સુધી જાગ્યા કરતો હતો. ત્યાં સુધી ઘરની લાઈટો ચાલું રહેતી હતી.

સુશાંતની ડમી ડેડબૉડી લાવવામાં આવી
મીડિયા રિપોર્ટસ મુજબ, CBI સુશાંત સિંહ રાજપૂતની ડમી ડેડબૉડી લઈને આવી હતી. આ ડમી દ્વારા CBI સીનને રિક્રેએટ કરી રહી છે.

આસપાસનાં 2-3 ફલેટનું વીડિયો રેકોર્ડિંગ
CBIની ટીમ સુશાંતનાં ફલેટ સહિત તેની આસપાસનાં ફલેટું વીડિયો રેકોર્ડિંગ પણ કરી રહી હતી. જણાવી દઈએકે, 22 ઓગષ્ટની સવારે CBIની ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી, જ્યાં સુશાંતનું પોસ્ટમોર્ટમ થયુ હતુ.

કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સનું નિવેદન નોંધવામાં આવ્યુ
CBIની ટીમે કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સનું નિવેદન લીધુ અને પુછ્યુકે, સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવાની આટલી ઉતાવળ કેમ હતી? ત્યારે ડૉક્ટર્સે કહ્યુકે,તેમને પોલીસે કહ્યુ હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page