આ તે કેવી જનેતા! લાડલી માટે રાખ્યા નવરાત્રિના ઉપવાસ ને પછી દીકરી સાથે જે કર્યું એ સગી તો શું કોઈ માના કરે
લુધિયાણા: માતા અને દીકરીના સંબંધોની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, કારણ કે તે સંબંધ અલગ જ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય નથી. પરંતુ પંજાબથી હૈયુ હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે, જ્યાં આ પવિત્ર સંબંધને એક ક્રૂર માતાએ કલંકિત કરી નાખ્યો. જ્યારે લોકો નવરાત્રિના પહેલા દિવસે દેવી માતાની આરાધનામાં લાગ્યા હતા ત્યારે આ મહિલાએ પોતાની ફૂલ જેવી પાંચ વર્ષની દીકરીની બાથરુમમાં પટકી-પટકીને હત્યા કરી નાખી.
આ ખતરનાક ઘટના લુધિયાણા શહેરના નવનીત નગર કૉલોનીમાં શનિવારે સામે આવી. જ્યાં ક્રૂર મહિલાએ પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ ટિંકૂની પત્ની પ્રિયંકાના રૂપમાં થઈ છે. ઘટના બાદ વિસ્તારમાં એવી સનસનાટી ફેલાઈ ગઈ, જેણે પણ સાંભળ્યું તે શૉક્ડ છે.
પોલીસ મામલાની તપાસ કરી રહી છે, પૂછપરછ દરમિયાન મહિલાના પતિ ટિંકૂએ જણાવ્યું કે તેણે લગભગ 7 વર્ષ પહેલા પ્રિયંકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે ઝઘડો કરવા લાગી હતી. તેમની બે દીકરીઓ છે, જેને મારી નાખી તેનું નામ દર્પણ છે અને તે નર્સરીમાં ભણતી હતી.
જણાવી દઈએ કે મામલાનો ખુલાસો આંગણામાં રમતા બાળકોએ કર્યો. તેમણે જોયું કે ઘરના બીજા માળના બાથરૂમમાંથી લોહી ટપકી રહ્યું છે, તે જોતા જ તેમણે પરિવારજનોને બોલાવી લાવ્યા. ત્યાર બાજ મહિલાને રંગે હાથ પકડવામાં આવી, પછી પોલીસને સૂચના આપી બોલાવવામાં આવી. જે સમયે પ્રિયંકાએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે પતિ કામથી બહાર ગયો હતો.
પોલીસે જણાવ્યું કે ઘટનાના દિવસે તેણે દેવીનું વ્રત રાખ્યું હતું. સવારે તેણે દુર્ગામાની પૂજા પણ કરી હતી. દીકરીને મંદિર લઈ જવાના બહાને તેને નહાવા લઈને ચાલી ગઈ. ત્યાં જ બાથરુમમાં તેને મારી નાખી. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાએ એક અઠવાડિયા પહેલા પણ દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પતિ દીકરીને પોતાની સાથે લઈ જતો હતો.
બીજો મામલોઃ કેટલાક દિવસો પહેલા અમૃતસર જિલ્લાથી પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. જ્યાર હરપ્રીત કૌર નામની એક મહિલાએ પોતાની જ સાત વર્ષની દીકરીને જીવતી સળગાવી દીધી હતી. હત્યા બાદ અડધા બળેલા શબને પ્લાસ્ટિક બેગમાં નાખીને તળાવ પાસે ફેંકી દીધું હતું. પતિની ફરિયાદ પર પોલીસે મહિલાની ધરપકડ કરી છે.