મુંબઈઃ બિહારના એક્ટર અક્ષત ઉત્કર્ષનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ મુજબ અક્ષત એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરવાની સાથે-સાથે એક્ટિંગ પણ કરતો હતો. અક્ષતે રવિવારની રાતે તેમના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ મુજબ, અક્ષત ઉત્કર્ષ મૂળ મુઝફ્ફરપુરના સિંકદરપુરનો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ પછી તેમના સબને પરિવારને સોંપી દીધો હતો. આ પછી પરિવાર તેમનો સબ બિહાર લઈ ગયાં. આ મામલે પરિવારે મુંબઈ પોલીસ પર તપાસ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારે અક્ષતના મોતને સંદિગ્ઘ ગણાવ્યું છે.
પિતા સાથે છેલ્લે કરી હતી વાત
મૃતકના મામા રણજીત સિંહે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અક્ષતે છેલ્લીવાર રવિવાર રાતે લગભગ 9 વાગ્યો તેના પિતા સાથે વાત કરી હતી. જોકે, આ પછી તે રાતે અક્ષતના નિધનના સમાચાર આવ્યાં હતાં.’ મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, ‘અક્ષતે મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમના ઘરે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. કેસ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પછી તેમનો સબ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.’
ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા માગતો હતો અક્ષત
લખનઉમાં MBAની સ્ટડી કરનારો અક્ષત ભોજપુરી ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો હતો. તેમના કાકા વિક્રમ કિશોરે પોલીસને નિવેદનમાં કહ્યું હતું કે, ‘અક્ષત સાથે બીજી એક સ્ટ્રગલિંગ એક્ટ્રસ સ્નેહા ચૌહાણ રહેતી હતી. અક્ષતના મોત વિશે તેમની ગર્લફ્રેન્ડને સૂચના આપી દેવામાં આવી છે.’
તેમને જણાવ્યા મુજબ, અક્ષત પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવાની સાથે એક્ટિંગ પણ કરી રહ્યો હતો. અપકમિંગ ફિલ્મ ‘લિટ્ટી ચોખા’માં તેમને રોલ પણ પ્લે કર્યો હતો. મુંબઈ પોલીસ મુજબ તેમની માનસિક સ્થિતિ સરખી નહોતી.