ડૉક્ટર બનવા માંગતી હતી ‘ગાંધારી’, હાલ 80 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા માતા-પિતાની કરી રહી છે સેવા
મુંબઈઃ બી. આર. ચોપડાની ‘મહાભારત’ સીરિયલના દરેક પાત્રોએ લોકોનાં દિલમાં એક ખાસ છાપ ઊભી કરી છે. આ સિરિયલમાં દુર્યોધનની મા ગાંધારીનો રોલ પ્લે કરનારી રેણૂકા ઇસરાણી તેના પાત્રથી ફેમસ થઈ હતી. દુર્યોધનનો રોલ પ્લે કરનાર પુનિત ઇસ્સર રેણૂકાથી ઉંમરમાં સાત વર્ષ મોટાં હતાં. અત્યારે કોરોનાવાઇરસને લીધે દેશભરમાં લૉકડાઉન છે, ‘મહાભારત’ અને ‘રામાયણ’ને રીટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે.
રેણૂકા ઇસરાની 54 વર્ષની છે, પણ તેમને અત્યાર સુધી લગ્ન કર્યા નથી. રેણૂકાએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, તેમણે 22 વર્ષની ઉંમરે ‘મહાભારત’ સિરિયલમાં ગાંધારીનો રોલ પ્લે કર્યો હતો. આ તેમની બીજી ટીવી સિરિયલ હતી. રેણૂકાનો પહેલો શૉ ‘હમ લોગ’ હતો, જેમાં તેમણે ઉષા રાણીનો રોલ પ્લે કર્યો હતો.
રેણૂકાએ કહ્યું કે, ગાંધારીનો રોલ તેમના માટે ખૂબ જ મોટું અચિવમેન્ટ હતું.તે સમયે તેમનો ઉદ્દેશ ખુદને એક્ટિંગ ફિલ્ડમાં સાબિત કરવાનો હતો અને ‘મહાભારત’ સિરિયલે તેમનો ઉદ્દેશ હાંસલ કરવામાં મદદ કરી હતી. આજે પણ તેમને ‘મહાભારત’ સાથે જોડાયેલી દરેક વાત ખૂબ જ સારી રીતે યાદ છે.
રેણૂકાએ કહ્યું હતું કે, જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે એક એસ્ટ્રોલોજરે ભવિષ્યવાણી કરી હતી કે તે ક્રિએટીવ ફિલ્ડમાં મોટું નામ કમાશે. રેણૂકા તે સમયે ડૉક્ટર બનવા માગતી હતી, પણ ક્યારેક નસીબમાં કંઈક બીજું જ લખ્યું હોય છે.
રેણૂકાએ દિલ્હીમાં એનએસડી(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા) જોઈન કર્યું. આ દરમિયાન તેમને ‘હમ લોગ’ સિરિયલ મળી. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તે ખુદને નસીબદાર માને છે કે લોકો તેમને આજે પણ ગાંધારી તરીકે ઓળખે છે. ઇન્ડસ્ટ્રીની આ જર્ની તેમના માટે ખૂબ સારી રહી.
રેણૂકા જયપુરની મહારાણી કૉલેજમાં ઑલ રાઉન્ડર ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકી છે. જ્યારે તે દિલ્હીમાં થિએટર કરતી હતી, ત્યારે તેમણે ઘણાં એવોર્ડ મળ્યા હતાં. ઓછાં લોકો જાણે છે કે, બી આર ચોપડાની ‘મહાભારત’ સિરિયલમાં તે પહેલાં દ્રોપદીનો રોલ પ્લે કરવા માગતી હતી. રેણૂકાએ કહ્યું કે, તેમને મણિપૂરી સ્ટાઇલમાં ‘અંધાયુગ’ નામનો રોલ પ્લે કર્યો હતો, જેમાં તેમનો ગાંધારીનો રોલ હતો.
આ કારણે તે ગાંધારીના પાત્રને ઉંડાણ પૂર્વક જાણતી હતી. રેણૂકાને લાગતું હતું કે, ગાંધારી ‘મહાભારત’નો સૌથી ચેલેન્જિંગ રોલ હતો અને તેમને તે વાતની ખુશી છેકે, તેમને 22 વર્ષની ઉંમરમાં જ આ રોલ પ્લે કરવાનો મોકો મળ્યો હતો.
રેણૂકા છેલ્લે ‘બડે અચ્છે લગતે હૈં’ સિરિયલમાં જોવા મળી હતી. અત્યારે તે નવાં પ્રોજેક્ટ લેતાં નથી અને તેમને ટીવી પર બ્રેક લીધો છે. જેનું ઇમોશનલ કારણ છે. રેણૂકાએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, તેમના પિતા 83 વર્ષનાં છે. તે વાત કરી શકતાં નથી. તે તેમના ઇશારા અને જરૂરિયાતને સમજતી હતી. રેણૂકા હંમેશાં તેમના પિતાની આસપાસ રહે છે. તેમની મા પણ 80 વર્ષની છે. બંનેને કેરની જરૂર હતી. તેમણે બંનેની જવાબદારી સંભાળી લીધી હતી. તે પરિવારને સમર્પિત થઈ ગઈ હતી અને તે પોતાના નિર્ણયથી ખુશ છે.