પહેલાં બંધ રૂમની અંદર કર્યાં લગ્ન પછી પ્રેમીમાંથી પતિ બનેલા પતિએ બતાવ્યો અસલી ચહેરો
અભિનેત્રી પુષ્પા બેહરાએ પોતાના પ્રેમીની બેવફાઈથઈ પરેશાન થઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેણે એક નવેમ્બરે પોતાના આગ લગાવી દીધી હતી. તે 70 ટકા દાઝી ગઈ છે. તેનો રાયગઢ મેડિકલ કૉલેજમાં ઈલાજ ચાલી રહ્યો છે. તેની સ્થિતિ ગંભીર છે. આ ઘટના ચક્રધર નગર વિસ્તારમાં થઈ. પુષ્પા લૈલૂંગાની છે, પરંતુ તે થોડા સમયથી રાયગઢમાં હતી. પહેલા તેને કોરોના કાળમાં કામ ન મળતું હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ પુષ્પાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે પ્રેમી પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક્ટ્રેસનો આરોપ છે કે પ્રેમી મોહને તેની સાથે બંધ ઓરડામાં લગ્ન કર્યા. તેણે મોહન માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું. હવે તે તેના પર લાંછન લગાવી રહ્યો છે. આરોપ છે કે ઘટનાના એક દિવસ પહેલા પ્રેમીએ તેના ઘરમાં તોડફોડ કરી અને ગાળો આપી. વાંચો આખી કહાની…
બુધવારે વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ પુષ્પા બેહરાએ પોતાના પ્રેમી મોહન પટેલ વિશે ઘણું કહ્યું. એક્ટ્રેસે કહ્યું કે તે જેને પ્રેમ કરતી હતી તેણે ઘરે આવીને ગંદી-ગંદી ગાળો આપી. તે પોતાના 10-12 લોકો સાથે આવ્યો હતો. તેણે ઘર સળગાવ્યું અને ખૂબ જ માર માર્યો. એક્ટ્રેસ આરોપ લગાવ્યો કે પ્રેમીએ તેને બદનામ કરી. એટલે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. આગળ વાંચો આ ઘટના વિશે…
વીડિયોમાં જે રીતે અભિનેત્રી કહી રહી છે, તેનાથી લાગે છે કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. એક્ટ્રેસનો આરોપ છે કે જ્યાં સુધી તેનું મન થયું ત્યાં સુધી પ્રેમ કરતો રહ્યો, પછી તેને ધંધાદારી કહેવા લાગ્યો. એક્ટ્રેસે કહ્યું કે તે માત્ર ન્યાય ઝંખે છે. કારણ કે તેણે ખોટું કર્યું. આગળ વાંચો આ જ ઘટના વિશે…
એક્ટ્રેસે જણાવ્યું કે પ્રેમીએ બંધ રૂમમાં તેની સાથે લગ્ન કર્યા. તે મંગળસૂત્ર અને સિંદૂર લઈને આવ્યો. તેણે એક સાડી આપી હતી. હવે તે એ જ સાડીને પહેરીને મરવા માંગે છે. પ્રેમીએ સૌની સામે લગ્નનો વાયદો કર્યો હતો. હવે તે ફરી ગયો. આ મામલે ટીઆઈ જૂટમિલ અમિત શુક્લાએ કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આગળ વાંચો- 39 દિવસના લવમેરેજ…
ભિલાઈ, છત્તીસગઢ. વર્ષ પહેલા શરૂ થયેલી પ્રેમ કહાની 39 દિવસ પહેલા લવમેરેજથી પૂરી થઈ. પરંતુ હવે અચાનક પ્રેમિકાના મોબાઈલ પર કોઈ બ્લેકમેઈલિંગના કૉલ કરવા લાગ્યા, મેસેજીસ આવવા લાગ્યા. એક રાત પતિ-પત્નીએ સાથે જમ્યું. જે બાદ પત્નીએ પતિને બેડરૂમમાં લૉક કર્યો અને આઠમાં માળેથી કૂદીને જીવ આપી દીધો. ઘટના પદ્મનાભપુર વિસ્તારાના આનંદ વિહાર કૉલોનીમાં બની. નર્સ પ્રીતિ દેવાંગનનું શબ બિલ્ડિંગના પાછળના ભાગમાં પડેલું મળ્યું. ડૉ. મહેન્દ્ર દેવાંગને જણાવ્યું કે તે બંનેની ઓળખ એક વર્ષ પહેલા ખાનગી હૉસ્પિટલમાં કામ દરમિયાન થઈ હતી. બંનેએ 8 ઑક્ટોબરે જ કોર્ટમાં લવ મેરેજ કર્યા હતા. પ્રીતિએ આ બીજા લગ્ન કર્યા હતા. તેને પહેલા લગ્નથી થયેલી દિકરીને નાની પોતાની સાથે લઈ ગઈ હતી. આગળ વાંચો-બીમાર પતિના મોતનો આઘાત ન સહન કરી શકી પત્ની, વૉટ્સએપ પર સ્ટેટ્સ અપડેટ કરીને હૉસ્પિટલમાં જ દઈ દીધો જીવ.,,
રાયપુર, છત્તીસગઢ. ટીબીથી બીમાર પતિની મોતથી દુઃખી પત્નીએ હૉસ્પિટલમાં જ આત્મહત્યા કરી. મૃતકના પતિનો દાઊ કલ્યાણસિંહ સુપરસ્પેશાયિલિટી હૉસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયાથી ઈલાજ ચાલી રહ્યો હતો. પતિનું શનિવારે રાત્રે(14 નવેમ્બરે) મોત થયું. રવિવારે(15 નવેમ્બરે) તેનું શબ ઘરે જવાનું હતું કે તેની પત્નીએ જીવ આપી દીધો. મરતા પહેલા પત્નીએ વૉટ્સએપ સ્ટેટસ પર લખ્યું કે, અલવિદા દોસ્તો…ભૂલચૂક માફ કરજો. 45 વર્ષિય નિખત અંજુમે 2008માં જાહિદ અલી સાથે લવ મેરેજ કર્યા હતા. જાહિદના મામા અકીલ રહમાને રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી. મહિલાએ એક પૉલિથીન ગળામાં બાંધી લીધી હતી. જેનાથી તેનો શ્વાસ રૂંધાઈ ગયો. જાહિદ ભિલાઈમાં નિખત સાથે રહેતો હતો.