અમદાવાદઃ આપણામાંથી મોટાભાગના લોકો એમ માનતા હોય છે કે જે ખાદ્યપદાર્થોમાં ફેટની માત્રા હોય તેનાથી જ વજન વધે છે. જોકે, એક પ્રકારના સ્વસ્થ ખાદ્ય પદાર્થોમાં ફેટ હોય તે ખરી રીતે વજન ઘટાડવામાં તથા પેટ પર જામેલી જિદ્દી ચરબી ઓછી કરવામાં લાભકારી છે. એવાકાડોને સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. હૃદય માટે સારી ફેટ, ફાઈબર, વિટામિન, ખનીજતત્વો તથા પોષક તત્વોનો બેસ્ટ સોર્સ એવાકાડો છે. આમાં કાર્બ્સની માત્રા ઓછી હોય છે પરંતુ પોટેશિયમ, કોપર, નિયાસિન, મેગ્નિશિયમ, મેંગનીઝ, રાઈબોફ્લેવિન તથા અનેક એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે.
પોષક તત્વનો ભંડાર છે એવાકાડોઃ એવાકાડોમાં ફેટની માત્રા વધુ હોય છે પરંતુ તેમાં મોટાભાગે મોનોઅસેચુરેટેડ ફેટ હોય છે, જેને ઓલિક એસિડ કહેવામાં આવે છે. આ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. એવાકાડો હેલ્થી ડાયટમાં સામેલ કરી શકાય છે. એવાકાડોમાં પીએફએ હોય છે, જે એન્ટી ઈન્ફ્લામેટરી ગુણોથી ભરપૂર હોય છે. ડાયટરી ફાઈબર હોવાથી પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે. રિસર્ચ પ્રમાણે, એવાકાડોમાં ઓલિક એસિડ હોવાથી વજન ઓછું કરવું તથા હૃદયરોગ સંબંધિત જોખમને ઓછું કરે છે.
કેવી રીતે વજન ઘટાડે છે? એવાકાડોમાં ફેટ તથા ફાઈબર બંને વધુ માત્રામાં છે, જો તમે આને ડાયટમાં સામેલ કરો તો તમારી ભૂખને શાંત કરે છે. આ જ કારણથી એવાકાડો ખાવાથી વજન ઓછું થાય છે. તમને વારંવાર ભૂખ લાગતી નથી.
એર્નેજેટિક રાખે છેઃ એવાકાડો તમારી ભૂખને શાંત કરીને શરીરને એર્નેજેટિક રાખે છે. એવાકાડોમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ હોવાથી હૃદય માટે ફાયદાકારી છે. મોનોઅનસૈચુરેટેડ ફેટ ચરબીને ઝડપથી ઓગાળે છે અને કેલરી વધુ ઝડપથી બર્ન કરે છે.
સલાડઃ એવાકાડોને સવારના નાસ્તામાં સલાડ તરીકે ખાઈ શકાય છે. તમે એવાકાડોની પાતળી ચીરી સમારીને તેની પર મરી તથા સંચળ ભભરાવી શકો છો.
સ્મૂથીઃ એવાકાડોને ઝીણા સમારીને મિક્સરમાં ક્રશ કરીને સ્મૂથી બનાવો અને તેમાં મરી ઉમેરો. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરી શકો છો.