Only Gujarat

Bollywood FEATURED

પહેલી પત્નીને તરછોડી અરિજીત સિંહે કર્યાં હતાં સિક્રેટલી બીજા લગ્ન, આવી છે લવ સ્ટોરી

બૉલિવૂડના ફૅમસ સિંગર અરિજીતસિંહ પોતાના અવાજથી કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. ‘સાંવરિયા’ ફિલ્મના ગીતથી પોતાના કરિયરની શરૂઆત કરનારા અરિજીતસિંહ ‘આશિકી-2’ના ગીતથી રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. આ પછી અરિજીત રોમેન્ટિક ગીતના કિંગ કહેવાય છે. તેમની પર્સનલ લાઇફ પણ ઓછી રોમેન્ટિક નથી. જોકે, અરિજીત પોતાના અંગત જીવન વિશે ખૂબ જ ઓછી વાત કરે છે. અરિજીતે બે લગ્ન કર્યાં છે.

એક જ વર્ષમાં અરિજીત સિંહના લગ્ન તૂટી ગયાં હતાં
અરિજીતસિંહે પ્લેબેક સિંગિંગ પહેલાં રિઆલિટી શૉમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વર્ષ 2013માં તેમણે એક રિઆલિટી શૉ, ‘ફૅમ ગુરુકુલ’ની કન્ટેસ્ટન્ટ રુપરેખા બેનર્જી સાથે પ્રેમ થયો અને લગ્ન કરી લીધા હતાં. આ લગ્ન વધારે દિવસ સુધી તક્યા નહીં અને બંને તે વર્ષે જ અલગ થઈ ગયાં હતાં.

અરિજીતસિંહે એક બાળકની મા સાથે બીજા લગ્ન કર્યાં
અરિજીતસિંહે પોતાના બીજા લગ્ન એક બાળકની મા સાથે કર્યાં જે તેમના બાળપણની ફ્રેન્ડ છે. રૂપરેખાથી અલગ થયાં પછી અરિજીતે વર્ષ 2014માં પોતાના બાળપણની ફ્રેન્ડ કોયલ રૉય સાથે લગ્ન કરી લીધા હતાં. કોયલ રૉયના પહેલાં લગ્ન સરખા ચાલતાં નહોતાં. આ કારણે તેમણે પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા હતાં. કોયલને પહેલાં લગ્નથી એક બાળક પણ હતું.

લાંબા સમય સુધી લગ્નની વાત છુપાવીને રાખી
અરિજીતસિંહે કોયલ સાથે પોતાના લગ્નની વાત લાંબા સમય સુધી છુપાવીને રાખી હતી. તેમણે છૂપી રીતે લગ્ન કરી લીધા હતાં. થોડાં સમય પછી આ વાતની જાણકારી તેમણે આપી સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. અરિજીતસિંહે કોલય રોય સાથે પોતાના સંબંધનો ઉલ્લેખ કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમને બંનેને ફિલ્મનો ખૂબ જ શોખ હતો. બંને ઇચ્છતા હતાં કે, સાથે પુસ્તક લખે. અમે બાળપણમાં સાથે જ ભણતાં હતાં. સૌથી પહેલાં લગ્ન માટે તેમણે મને પ્રપોઝ કર્યું હતું.’

શું કરે છે કોયલ રૉય
અરિજીતસિંહ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દરમિયાન એક ફિલ્મ ‘સા’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની કહાની કોયલ રૉયે અરિજીતસિહં સાથે મળીને લખી હતી. કોયલ અરિજીતને પ્રોજેક્ટ્સમાં હેલ્પ કરતી હતી. તેમને પુસ્તકો સાથે ખૂબ જ લગાવ હતો અને તે વિભિન્ન રીતની ફિલ્મ લખવામાં ખૂબ જ રસ રાખે છે.

You cannot copy content of this page