Only Gujarat

FEATURED Gujarat

લગ્નના 3 વર્ષમાં પતિએ એક પણ વાર પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી ને હવે…..

સુરત શહેરની પરિણીતાને લગ્નના ત્રણ વર્ષ થઇ ચૂક્યા હતા. પરંતુ લગ્નના 3 વર્ષમાં પતિએ તેની સાથે એકવાર પણ શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. જેને લઇ પત્નીને શંકા હતી કે કંઇક ખોટું થઇ રહ્યું છે. તે દરમિયાન એક દિવસ પત્ની પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કર્યો. તે સમયે જે હકીકત સામે આવી તે જોઈને પત્નીના પગ તળેથી જમીન સરકી ગઇ. પરિણીતાને જાણ થઈ કે તેનો પતિ ‘ગે’ છે એટલે કે સમલૈંગિક સંબંધો ધરાવે છે. આ મામલે પરિણીતાએ પતિ સહિત સાસરીયા સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં રહેતી દિવ્યા(નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં નવાપુરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન સમયે દિવ્યાના પિતાએ તમામ રીતિરિવાજ નિભાવ્યા હતા અને યોગ્યતા મુજબ દીકરી અને જમાઇને ભેટ આપી હતી. તેમ છતાં લગ્નના બીજા જ દિવસે દિવ્યાને સાસુ-સસરાએ સંભળાવ્યું હતું કે, તેમને દહેજ ઓછું લાગ્યું છે.

દિવ્યાના પિતાએ વેવાઈના કહેવા પ્રમાણે 15 હજારની ફિક્સ ડિપોઝીટ કરાવી આપી હતી. જોકે, સાસુ-સસરા અને બંને નણંદ અને નણદોઈ દિવ્યાને વિના કારણે ભૂલો કાઢી ગમેતેમ બોલાતા હતા. દિવ્યા આ અંગે પતિને જાણ કરતી તો પતિ મારઝૂડ કરતો હતો. તેમ છતાં દિવ્યા મૂંગામોઢે પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી.

પરંતુ તેને દુઃખ એ વાતનું હતું કે, લગ્ન બાદ ક્યારેય તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહોતો. એટલું જ નહીં, પતિ રાત્રે તેની માતા સાથે સૂતો હતો. તેથી દિવ્યાએ આ મામલે પતિને ટકોર કરી હતી. પતિ કાયમ જણાવતો હતો કે, માતા બીમાર હોવાથી તેની સાથે સૂવું પડશે. સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી દિવ્યાએ પિતાને ફોન કરી બોલાવ્યા હતા અને તેની સાથે પિયર આવી ગઈ હતી.

ત્યારબાદ પતિનો મોબાઈલ વોટ્સઅપ વેબથી કનેક્ટ કરેલો હોવાથી તેમાં આવતા મેસેજ વાંચ્યા હતા. આ મેસેજ વાંચતા પરિણીતાને જાણ થઈ હતી કે, તેના પતિ અન્ય પુરૂષો સાથે સંબંધ રાખે છે. એટલે કે પતિ ગે છે અને તેને માત્ર પુરુષો સાથે જ સંબંધ રાખવામાં રસ છે. આ વાત સાસરિયા જાણતા હોવા છતાં તેઓ સંતાન સુખ નહીં આપવાના મુદ્દે પરિણીતાને ત્રાસ આપતા હતા.

એવી વાત પણ સામે આવી છે કે, પતિનો મેડિકલ રિપોર્ટ સારો નહોતો. આ ઉપરાંત તે દિવ્યા સાથે સુવાના બદલે માતાના રૂમમાં સુતો હોવા છતાં સાસરી પક્ષ બાળક ન રહેવા માટે તેને જવાબદાર માનતા હતા. આખરે પરિણીતાએ પતિ સહિત સાસરીયાઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You cannot copy content of this page