Only Gujarat

Bollywood FEATURED

સંજુબાબાને છે ચોથા સ્ટેજનું કેન્સર, 2 કીમોથેરાપી બાદ થઈ ગયા આવા હાલ કે જોતાં જ બોલી ઉઠશો કે અરે રે..

મુંબઈઃ સંજય દત્ત અત્યારે લંગ્સ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ સંજય દત્તના કેટલાક ફોટો સામે આવ્યા છે, જેમાં તે દુબઈમાં તેના પરિવાર સાથે મુશ્કેલી સમયમાં હસતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ સંજય દત્ત જલદી જ મુંબઈ પાછા આવી જશે કેમ કે, તેમની કીમોથેરાપી શરૂ થવાની છે. આ ફોટોમાં સંજય દત્ત અત્યારે તેમના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. જ્યારે તેમની પત્ની માન્યતા સેલ્ફી ફોટો લેતી જોવા મળી રહી છે. જોકે, સંજય દત્તનો આ ફોટો જોઈ સોશિયલ મીડિયામાં લોકો તેમને અલગ-અલગ સવાલ પૂછી રહ્યા છે.

એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં કહ્યું કે, ‘મને માત્ર માન્યતા દત્તનો આઈબ્રો જ દેખાઈ રહ્યો છે. જેને માત્ર સેલ્ફીની પડી છે.’ તો એક વ્યક્તિએ કહ્યું કે, ‘લાગે છે કે તેમનું કેન્સર ગાયબ થઈ ગયું છે.’

એક યૂઝરે કોમેન્ટમાં પૂછ્યું કે, ‘આ કયાં એન્ગલથી કેન્સરની ટ્રીટમેન્ટ લેતા દેખાય છે. આટલા કેન્સરના દર્દી જોયા પણ આવા નહીં.’

તો એક વ્યક્તિએ માન્યતાને સલાહ આપતાં કહ્યું કે, ‘આમને ટ્રીટમેન્ટ અપાવો મેડમ. દરેક મિનિટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ સેલ્ફી લેવાનો સમય નથી.’

એક યૂઝરે સંજય દત્તને પૂછ્યું કે, ‘ભાઈ કેન્સરનું શું થયું વાત જણાવી દો? અથવા પછી સડક 2 માટે દાવ રમ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે, કેન્સરને લીધે સારી ફિટનેસવાળા સંજય દત્ત ખૂબ જ દુબળા થઈ ગયાં છે. બે કીમોથેરાપી પછી તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજય દત્તને તેમના બાળકોની યાદ આવે છે, એટલે તે તેમને મળવા દુબઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે જલદી જ મુંબઈ પાછા આવશે.

સંજય દત્તની સારવાર ડૉક્ટર જલીલ પારકર કરી રહ્યાં છે. ડૉક્ટર જલીલે કીમોથેરાપીનો પહેલો ડૉઝ પૂરો થયાં પછી જણાવ્યું હતું કે, ‘અત્યારે તે ખબર નથી કે તેમને કીમોથેરાપીના કેટલા ડૉઝ હજુ આપવાના છે. કીમોથેરાપી સરળ હોતી નથી અને ફેફસાના કેન્સરથી સંજયની લડાઈ ખૂબ જ મુશ્કેલ છે.’

ઉલ્લેખનીય છે કે, સારવાર દરમિયાન લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર્સ તેમના ફેફસામાંથી લગભગ 1.5 લીટર ફ્લૂઇડ કાઢ્યું હતું. મળતી માહિતી પ્રમાણે તેમના ફેફસામાંથી ફ્લૂઇડ ભેગું થઈ રહ્યું છે.

ભલે સંજય દત્ત લંગ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે પણ તેમની આ બીમારીને તેમના કામની વચ્ચે આવવા દેતા નથી. તે સારવારની સાથે-સાથે તેમની નવી ફિલ્મ ‘શમશેરા’ના શૂટિંગ પર પણ ફોકસ કરી રહ્યાં છે. જોકે, મેકર્સ ઇચ્છે છે કે, તે પહેલાંની જેમ સ્વસ્થ થઈ જાય અને ફરી પાછા કામ પર આવે.

સંજયના આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની મજબૂતીથી તેમની સાથે ઊભી છે. તે હંમેશા તેમની હિંમત વધારતી રહી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમના પતિની હેલ્થ અપડેટ આપતી રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page