મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. સલમાન ખાનથી લઈ કરણ જોહર અને બીજા સેલેબ્સ પર નેપોટિઝ્મનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, 1998માં આવેલી કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સલમાન ખાનનો રોલ પહેલા ‘માચિસ’ના એક્ટર ચંદ્રચૂડ સિંહને ઓફર થયો હતો.
એક પોપ્યુલર વેબસાઇટ સાથે વાતચીતમાં ચંદ્રચૂડે કહ્યું કે, ‘કરણ જોહરની ફિલ્મ છોડવાનું તેમને ઘણું દુખ છે.’ ચંદ્રચૂડ મુજબ, ‘આ નિર્ણય મારા માટે ખૂબ જ નુકસાનકારક રહ્યો હતો પણ જે થવાનું છે તે થવાનું જ છે.’ કરણની આ ફિલ્મ ખૂબ જ સારી છે અને છેલ્લા કેટલાક વર્ષમાં તે કલ્ટ ક્લાસિક સાબિત થઈ છે.
કરણ જોહરે આ વિશે પણ આ વિશે વાત કરી હતી. કરણ જોહર મુજબ, ‘આ રોલ માટે ત્રણએ લોકોએ ના પાડી હતી. ચંદ્રચૂડ સાથે વાત કર્યા પછી આગલા દિવસે તેને મને ઘરે સ્ક્રિપ્ટ વિશે જાણકારી આપવા બોલાવ્યો હતો.’
કરણ જોહર મુજબ, ‘જ્યારે મે તેને આગલા દિવસો કોલ કર્યો તે તેમને મને ફિલ્મનું આખું નેરેશન જાણવાની વાત કહી. આ પછી હું માલાબાર હિલ્સના સેવન બંગલો ગયો અને જેવું ત્યા તેમને નેરેશન સંભળાવવા લાગ્યો તો તેમણે આ રિજેક્ટ કરી દીધું હતું.
‘જ્યારે ચંદ્રચૂડે ના પાડો મને થોડું ખોટું લાગ્યું હતું. કેમ કે, જો ના પાડવી હતી તો પહેલાંથી જ ના પાડી દેવી હતી, જેનાથી મારા ટ્રાવેલિંગના બે કલાક બચી જાત.’
ઉલ્લેખનીય છે કે, ‘કુછ કુછ હોતા હૈ’ 1998ની સૌથી વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરનારી ફિલ્મ હતી. જેમાં શાહરૂખ ખાન, કાજોલ, રાણી મુખર્જી સાથે સલમાને પણ કેમિયો રોલ પ્લે કર્યો હતો.
1998માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ કરણ જોહરની પહેલી ફિલ્મ હતી, જેમાં તેમણે ફુલ ફ્લેજ્ડ ડિરેક્ટ કર્યું હતું. આ પહેલાં તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર કામ કર્યું હતું.
ચંદ્રચૂડસિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વેબ સિરીઝ ‘આર્યા’થી કમબેક કરી રહ્યા છે. આ સિરીઝમાં તેઓ સુષ્મિતા સેનના પતિના રોલમાં જોવા મળશે.