Only Gujarat

FEATURED Religion

શનિના ગુસ્સા ને પ્રકોપથી બચવું હોય તો આ વાતો તમારે જાણવી જરૂરી છે…

અમદાવાદઃ મકર રાશિમાં 24 જાન્યુઆરીએ શનિએ પ્રવેશ કર્યો છે. શનિ ગ્રહને ન્યાયાધીશનો દરજ્જો મળ્યો છે. જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે, શનિ તેને સજા આપે છે. જ્યારે સારા કર્મ કરનાર જાતકને શનિ આશીર્વાદ આપે છે અને શુભ ફળ આપે છે. શનિ મકર તથા કુંભ રાશિનો સ્વામી છે. તુલા રાશિમાં ઉચ્ચ તથા મેષ રાશિમાં નીચનો હોય છે. શનિદેવ સૂર્યદેવનો પુત્ર છે. જોકે, બંને વચ્ચે શત્રુનો ભાવ છે.

શનિ તમામ ગ્રહોમાંથી સૌથી ધીમી ચાલે ચાલનાર એકમાત્ર ગ્રહો છે. ધીમી ચાલ હોવાથી તેની અસર લાંબા દિવસો સુધી રહી છે. જે જાતકોની કુંડળીમાં શનિ રહે છે, તેના પર સીધો પ્રભાવ નાખે છે.

જ્યારે શનિ એક રાશિમાં હોય તો તે રાશિમાં શનિ અઢી વર્ષ સુધી રહે છે. અઢી વર્ષ રહ્યાં બાદ શનિ બીજી રાશિમાં જાય છે. જ્યોતિષના મતે જ્યારે શનિ 12મા ભાવે, પહેલા ભાવે તથા દ્વિતીય ભાવમાંથી નીકળે ત્યારે તે સમયને સાડા સાતી કહેવામાં આવે છે. શનિ જે રાશિમાં હોય તે રાશિ ક્રમના હિસાબે તે રાશિની આગળ તથા પાછળની રાશિના જાતકો પર પોતાની અસર પાડે છે. આ સાડા સાત વર્ષના સમયને શનિની સાડા સાતી કહેવામાં આવે છે. પછી શનિ જેમ જેમ આગળ વધે તેમ તેમ સાડા સાતી ઉતરે છે. શનિની આ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

જ્યોતિષમાં શનિદેવને કર્મના દેવતા માનવામાં આવે છે. શનિ ગ્રહ સારા કર્મ કરનારને સારુ ફળ આપે છે.

શનિદેવ એ લોકોને શુભ ફળ આપે છે, જે મહેનતી છે.

શનિદેવ સૂર્યદેવ તથા છાયાનું સંતાન છે. યમરાજ તેમનો ભાઈ તથા યમુના તેમની બહેન છે.

શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે સરસીયાનું તેલ દાન કરવું

દર શનિવારે શનિદેવની સાથે પીપળની વિશેષ પૂજા કરવી.

શનિદેવને તેલ ચઢાવતા સમયે ધ્યાન રાખો કે તેમની આંખોમાં જોવું નહીં પરંતુ તેમના ચરણોમાં ધ્યાન રાખવું

શનિવારના દિવસે કાળા તલનું દાન કરો. ચામડાના જૂતા કે ચંપલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

શનિવારના દિવસે હનુમાનજીના દર્શન તથા હનુમાન ચાલીસાનું પઠન કરવું શુભ માનવામાં આવે છે.

ખિજડાના ઝાડની પૂજા કરવાથી શનિ દેવ પ્રસન્ન રહે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page