દુનિયાનું એકમાત્ર એવું ગામ જ્યાં એક પણ મર્દ નથ છતાં પણ પ્રેગ્નેન્ટ થઈ જાય છે મહિલાઓ
દુનિયામાં ઘણા પ્રકારની જનજાતિ હોય છે. અમુક ગામડાઓમાં રહે થે, તો અમુક કઠોર વિસ્તારોમાં રહે છે. આ સમુદાયનાં લોકોની અજીબોગરીબ પરંપરાઓ હોય છે. જેને જાણને નોર્મલ લોકો અચરજમાં પડી જાય છે. આજે અમે તમને આવાજ એક કુળ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે. જે બહુજ અજીબ છે. અહીં એક પણ મર્દ રહેતો નથી. આ સમુદાયમાં ફક્ત મહિલાઓ જ સામેલ છે. આખા ગામમાં લગભગ અઢીસો મહિલાઓ રહે છે. સાથે જ પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. પરંતુ અચરજની વાત તો એ છેકે, તેમ છતાં પણ આ ગામમાં મહિલાઓ પ્રગ્નેન્ટ થઈ જાય છે. આખરે કેવું છે આ ગામ જોઈએ આખી કહાની…
કેન્યાના ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે. આ ગામની સૌથી મોટી વિશેષતા એછે કે, અહીં એક પણ પુરુષ રહેતો નથી. આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.
આ ગામની સ્થાપના 1990માં ગામમાં જ 15 મહિલાઓએ કરી હતી. તે બધી મહિલાઓ હતી. જેમની સાથે સ્થાનિક બ્રિટીશ સૈનિકોએ બળાત્કાર ગુજાર્યો હતો.
છેલ્લાં 30 વર્ષથી, આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. ગામની સીમમાં કાંટાળો તાર છે. જો કોઈ વ્યક્તિ આ મર્યાદાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને સજા કરવામાં આવે છે.
આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી તમામ હિંસાઓ સહન કરનારી મહિલાઓ રહે છે. હાલમાં આ ગામમાં લગભગ 250 મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.
હવે એ જાણવું જરૂરી છેકે, જ્યારે પુરૂષો ગામમાં રહેતા જ નથી, તો પછી આ ગામની મહિલાઓ કેવી રીતે ગર્ભવતી થાય છે? આનો જવાબ ઉમોજા ગામની બાજુમાં આવેલા અન્ય ગામના પુરુષોએ આપ્યો હતો.
તે ગામના એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે,આ મહિલાઓને લાગે છે કે તેઓ પુરુષો વગર જીવે છે. પરંતુ વાસ્તવિકતા એ છેકે આમાંની ઘણી મહિલાઓને તેમના ગામના પુરુષો સાથે પ્રેમ થઈ જાય છે.
ત્યારબાદ, રાતના અંધારામાં આ પુરૂષ ઉમોજા ગામે જાય છે અને પછી સવાર થતાં પહેલાં પાછા આવી જાય છે. આ પુરુષોનાં સંબંધો ગામની એક જ મહિલા નહીં પરંતુ ઘણી મહિલાઓ સાથે રહે છે.
કેમકે સ્ત્રીઓ પુરૂષો સાથેના તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારતી નથી, તેથી કોઈને ખબર નથી હોતી કે પુરુષે કઈ સ્ત્રી સાથે સંબંધ બનાવ્યો છે. ગર્ભનિરોધકનું કોઈ સાધન ન હોવાથી, સ્ત્રીઓ ગર્ભવતી થઈ જાય છે.
પરંતુ આ મહિલાઓ પોતાના બાળકોની એકલા સંભાળ રાખે છે. જો તેમની દિકરીઓ છે, તો તેમને ભણાવે છે અને પગભર થતાં શીખવે છે. પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવીને આ ગામ ઘણી ચર્ચામાં રહ્યુ છે. આને કારણે અહીં ઘણા પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ પાસેથી ગામમાં પ્રવેશ માટે પૈસા લેવામાં આવે છે.
તેમજ ગામની મહિલાઓ પણ ખાસ પ્રકારના ઝવેરાત બનાવે છે. તેને વેચીને પણ તેઓ પૈસા કમાય છે અને બાળકોને ખવડાવે છે.
ભલે ગમે તે હોય, આ ગામની મહિલાઓને આ ગામથી ઘણો લગાવ છે. તેઓ કહે છે કે જ્યારે બહારની દુનિયામાં તેમને દગો મળ્યો ત્યારે આ ગામે જ તેમને સહારો આપ્યો છે.