Only Gujarat

Bollywood FEATURED

જાણો કોણ છે તે ખાસ પંડિત જેમની પાસે દરેક વાતમાં એક્ટ્રસ કંગના રનૌત લે છે સલાહ ?

મુંબઈઃ એક્ટ્રસ કંગના રનૌત આ સમયે આખા દેશનો ચર્ચાનો વિષય બની ગઈ છે. મુંબઈમાં કંગનાની ઓફિસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ પર મુંબઈ મહાનગરપાલિકાએ બુધવારે બુલડોઝર ચલાવી અંદર તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ ઓફિસ ગોરખપુરના પંડિત સચીન્દ્ર પાંડેની સલાહ પર બનાવી હતી. અત્યારે ચાલી રહેલાં મુદ્દ પંડિત સચીન્દ્ર નાથ પાંડેયનું શું કહેવું છે તે અમે તમને જણાવી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ એક્ટ્રસ કંગના રનૌત દરેક શુભ કાર્ય જિલ્લાના રામજાનકી નગર નિવાસી પંડીત સચીન્દ્ર નાથ પાંડેયની સલાહ લઈને કરે છે. ‘તનુ વેડ્સ મનુ’, ‘ક્વીન’, ‘મણિકર્ણિકા’, ‘ક્રિશ – 2’ જેવી અઢળક ફિલ્મોમાં કંગનાનું નામ, શૂટિંગ અને લોન્ચિંગનું મૂહુર્ત નક્કી કરનારા પંડીત સચીન્દ્ર પાંડેયની દેખરેખમાં મુંબઈ સ્થિત કંગનાની ઓફિસ બની હતી.

પંડિત સચીન્દ્ર પાંડેયે જણાવ્યું કે, ‘મણિકર્ણિકા નામ કંગના રનૌતના જીવનનો ટર્નિંગ પોઇન્ટ છે. આ નામથી બનેલી ફિલ્મથી ફિલ્મ નિર્માણના ક્ષેત્ર સાથે તેમની વિશિષ્ટ ઓળખ બનતા કંગનાએ મણિકર્ણિકા નામથી પોતાની ઑફિસ પણ બનાવી લીધી હતી. સિંહ રાશિ સાથે કંગના રનૌત એક મજબૂત ઓળખ તેમની કુંડળીની ગ્રહ દશાને અનૂકુળ છે.

પંડિત સચીન્દ્ર નાથના જણાવ્યા મુજબ, ‘મણિકર્ણિકાનું તૂટેલું કાર્યાલય પણ તેમને પ્રસિદ્ધિ આપશે. જો કોઈને લાગે છે હાલની સ્થિતિ કંગનાને વિચલિત કરશે તો તે ભ્રમમાં છે. આ મુશ્કેલી કંગનાને મજબૂત બનાવશે.

‘મણિકર્ણિકા’ની ઓફિસ પર બુલડોઝર ચલાવવાની ઘટના કંગનાને રાજનૈતિક મુકામ અપનાવવામાં આવશે. જો કંગનાએ રાજનીતિમાં જવાનો નિર્ણય લીધો તો તેને ત્યાં પણ સફળતા મળશે તે નક્કી છે.’

પંડિત સચીન્દ્ર પાંડેયે જણાવ્યું કે, ‘કંગના રનૌતની કુંડળીમાં ગ્રહોની ચાલ અને દિશા જણાવી રહી છે કે, આ તે સમય છે, જ્યારે લોકો કંગનાને હિંમત જોશે અને તેમની સાથે જોડાશે.’ ઉલ્લેખનીય છે કે, પંડિત સચીન્દ્ર નાથ કંગનાને વૈષ્ણો માતા અને કામાખ્યા ધામમાં ધાર્મિક અનુષ્ઠાન કરાવી ચૂક્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page