એક-બે નહીં પણ આ ગુજરાતી વહુએ છ-છ વર્ષ સુધી છૂપાવ્યા હતા લગ્ન, કારણ જાણીને તમે પણ કહેશો કે માનવું પડે હો બોસ!
જૂહી ચાવલા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી ચુલબુલી અભિનેત્રી છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે પણ ફેન્સ તેની મીઠી સ્માઈલના દિવાના છે. જો કે જુહીએ તેના ચાહકોને ત્યારે શોક આપ્યો હતો. જ્યારે તેણીએ લગ્ન કરી લીધા હતા. વાસ્તવમાં જુહીએ આ વાતને બધાથી છુપાવીને રાખી હતી.
જુહીના આ સમાચારથી ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, જુહીએ લગભગ 20 વર્ષો પછી, આ રહસ્ય પરથી પડદો ઉછાવ્યો હતો કે આખરે તેણે શા માટે તેના લગ્નની વાત છુપાવી હતી.
આ કારણે, છુપાવી હતી લગ્નની વાત
જુહીએ તેના લગ્ન વિશે વાત કરતી વખતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે લગ્ન હિરોઇનની કારકિર્દીનો અંત માનવામાં આવતા હતા. તે સમયે જૂહી તેની કારકિર્દીની ટોચ પર હતી. પરંતુ તે પોતાના લગ્નને કારણે તે પેશનને ખતમ કે દાવ પર લગાવવા માંગતી ન હતી. એટલા માટે તેણે 6 વર્ષ સુધી તેના લગ્નને છુપાડીને રાખ્યા હતા.
જૂહીનાં પતિએ તેનો કર્યો હતો સપોર્ટ
જો જુહીની લવસ્ટોરી વિશે વાત કરીએ તો આ સ્ટોરીને લવ એટ ફર્સ્ટ સાઈટ કહી શકાય. જો કે જુહીએ કેટલી વાર કહ્યું છે કે જ્યારે તેને જીવનમાં ઈમોશનલ સપોર્ટની જરૂર હતી ત્યારે જય મહેતા તેમના જીવનમાં આવ્યા હતા. જેમણે હંમેશા જુહીને સમર્થન આપ્યું અને ક્ષણે ક્ષણે તેનું સમર્થન કર્યું.
બદલાતો સમય પણ…
જો જોવામાં આવે તો, ઘણી સ્ત્રીઓ જુહીની આ બાબતોથી સહમત થશે કે લગ્ન પછી અથવા સંતાન થયા પછી પણ મહિલાઓએ વિચાર કરવો પડશે કે તેઓએ કામ કરવું જોઈએ કે નહીં. તેમના સપનાને પૂર્ણ કરવા માટે તેઓએ એક કુટુંબ અને તેમની કારકીર્દિ પસંદ કરવી પડશે. જો કે, સમય પણ બદલાઇ રહ્યો છે.
સમાજમાં એક ડબલ તસવીર જોવા મળી રહી છે, એક તરફ એવી સ્ત્રીઓ છે કે જેઓ લગ્ન પછી પોતાનો પરિવાર પસંદ કરે છે અને એક તરફ તેઓ પરિવારની સાથે સાથે તેમની કારકિર્દી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે
જય મહેતાએ આ પહેલા યશ બિરલાની બહેન સુજાતા બિરલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, 1990માં ફ્લાઈટ 605 પ્લેન ક્રેશમાં સુજાતાનું મોત થયું હતું. જય મહેતા ‘મહેતા ગ્રુપ’ હેઠળ ભારતમાં બે કંપનીઓ ચલાવે છે, જેમાં એક પોરબંદર સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ તથા ગુજરાત સિદ્ધિ સિમેન્ટ છે.