ફેમસ ટીવી સિરિયલ ‘ઇમલી’માં માલિનીના પાત્રએ અત્યારે પોતાનો રંગ બદલી દીધો છે. જે ઇમલી અને આદિત્યને એક કરનારી માલિની આજે તે બંને વચ્ચે મતભેદ કરાવવા માગે છે. પણ શું તમે માલિનીની રિઅલ લાઈફ વિશે જાણો છો?
ટીઆરપીના લિસ્ટમાં ટીવી સિરિયલ ‘ઇમલી’એ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. ક્યારેક સીધી સાદી દેખાતી માલિની આજકાલ નેગેટિવ કેરેક્ટર પ્લે કરવા લાગી છે. આદિત્યને મેળવવાની ચાહમાં માલિની કંઈ પણ કરવા તૈયાર છે. પણ શું તમે જાણો છો અસલ જિંદગીમાં પણ માલિની ઉર્ફે મયૂરી દેશમુખ પતિની યાદમાં દુખી રહે છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં મયૂરી દેશમુખે પોતાની જિંદગીનો ખૂબ જ ખરાબ સમય જોયો છે. તેમના પતિનું મોત થઈ ગયું છે. તે આજે પણ પોતાના પતિની યાદમાં ગમગીન રહે છે. હાલમાં તેમણે પોતાના પતિની યાદમાં એક કવિતા લખી છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મયૂરીની આ કવિતાને વાંચી લોકો તેમની ભાવનાઓને સરળતાથી જાણી શકે છે.
મયૂરી દેશમુખના પતિ આશુતોષ ભાકરેએ ગયાં વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતની જેમ મયૂરિ દેશમુખના પતિએ પણ જુલાઈ 2020માં મોતને વહાલું કર્યું હતું. તે ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર હતાં. પતિના મોતથી મયુરી ખરાબ રીતે ભાંગી પડી હતી.
મયૂરીના પતિ આશુતોષ ભાકરે પણ એક એક્ટર હતાં. પતિના મોત વિશે એક ઇન્ટરવ્યૂમાં મયૂરીએ કહ્યું હતું કે, ‘‘ તે આજે પણ મારી જિંદગીનો ભાગ છે. હું તેમને આજે પણ પ્રેમ કરું છું. લોકોને એવું કેમ લાગે છે કે હું એકલા જિંદગી જીવી શકતી નથી. એકલા રહેવા માટે મારે આશુતોષનો પ્રેમ જ પૂરતો છે. ’’
સમયની સાથે મયૂરી દેશમુખે ખુદને સંભાળ છે અને આગળ વધવાનો પ્રયત્ન કરે છે. અત્યારસુધી મયૂરી દેશમુખ સિરિયલ ‘ઇમલી’માં માલિનીનો રોલ પ્લે કરી રહી છે. આ સિરિયલમાં તે પહેલાં એક પોઝિટિવ રોલમાં હતી પણ હવે ધીરે-ધીરે તેનો રોલ નેગેટિવ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સિરિયલમાં ‘ઇમલી’ મયૂરીની પહેલી હિન્દી સિરિયલ છે.