Only Gujarat

FEATURED National

પત્ની ને બાળકો છે દુબઈમાં, મુંબઈમાં સંજુબાબા એકલો કરાવી રહ્યો છે કેન્સરની સારવાર

મુંબઈઃ સંજય દત્ત અત્યારે ફેફસાના કેન્સર સામે લડી રહ્યાં છે. તેમને ચોથા સ્ટેજનું કેન્સર છે. હાલમાં જ સંજય દત્ત તેમની પત્ની માન્યતા અને બાળકોને મળવા માટે દુબઈ ગયો હતો. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કર્યાં પછી તે મુંબઈથી પાછો આવી ગયો છે. સંજય દત્તના કેટલાક ફોટો સામે આવ્યાં છે, જેમાં તે તેમના ઘરની બહાર ચહેરા પર માસ્ક લગાવીને જોવા મળ્યાં છે. આ દરમિયાન સંજય દત્તની આંખોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્તની ત્રીજી કીમોથેરાપી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં થશે, જેના માટે તેમને થોડાંક દિવસ હોસ્પિટલમાં જ દાખલ રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે, કેન્સરને લીધે સંજય દત્તનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં ખરાબ છે. બે કીમોથેરાપી પછી તેમના વાળ પણ જતાં રહ્યાં છે અને વજન પણ ઓછો થઈ ગયો છે. રિપોર્ટ્સ મુજબ, દુબઈથી સંજય દત્ત એકલાં જ પાછા આવ્યા છે. પત્ની માન્યતા બાળકો સાથે ત્યાં જ રોકાઈ ગઈ છે.

હાલમાં જ સંજય દત્ત અને તેમના પરિવારના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયાં હતાં, જેમાં સંજૂ તેમની પત્ની માન્યતા અને બંને બાળકો સાથે કોઈ રેસ્ટોરાંમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન માન્યતા સેલ્ફી લેતી જોવા મળી હતી.

આ ફોટાને જોઈ એક યૂઝરે માન્યતાને સલાહ આપતાં કહ્યું હતું કે, ‘આમને ટ્રીટમેન્ટ અપાવો મેડમ. દરેક મિનિટ ખૂબ જ મહત્ત્વની છે. આ સેલ્ફી લેવાનો યોગ્ય સમય નથી.’

તો એક બીજા યૂઝરે કહ્યું હતું કે, ‘મને તો માત્ર માન્યતા દત્તનો આઈબ્રો જ દેખાઈ રહ્યો છે. આને માત્ર સેલ્ફીની જ પડી છે. તો એક બીજા યૂઝરે કહ્યું કે, ‘લાગે છે કે આમનું કેન્સર ગાયબ થઈ ગયું છે.’

તો એક બીજા યૂઝરે પૂછ્યું કે, ‘આ કયાં એન્ગલથી કેન્સરની ટ્રીટમેન્ટ લેતાં જોવા મળી રહ્યાં છે. આટલાં કેન્સર પેશન્ટ જોયા પણ આમના જેવા નહીં.’

સંજય દત્તની સારવાર ડૉક્ટર જલીલ પારકર કરી રહ્યાં છે. ડૉક્ટર જલીલે કીમેથેરાપીનો પહેલો ડોઝ આપ્યાં પછી કહ્યું હતું કે, અત્યારે ખબર નથી કે તેમને કીમોથેરાપીના કેટલા ડૉઝ આપવાના છે. કીમોથેરાપી સરળ નથી હોતી. તેની ઘણી સાઇડ ઇફેક્ટ હોય છે.

સંજય દત્તની સારવાર ડૉક્ટર જલીલ પારકર કરી રહ્યાં છે. ડૉક્ટર જલીલે કીમેથેરાપીનો પહેલો ડોઝ આપ્યાં પછી કહ્યું હતું કે, અત્યારે ખબર નથી કે તેમને કીમોથેરાપીના કેટલા ડૉઝ આપવાના છે. કીમોથેરાપી સરળ નથી હોતી. તેની ઘણી સાઇડ ઇફેક્ટ હોય છે.

ભલે સંજય દત્ત ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યો હોય પણ તે આ બીમારીની અસર કામ પર થવા દેતાં નથી. તે સારવારની સાથે-સાથે પોતાની અપકમિંગ ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ પણ કરી રહ્યાં છે. જોકે, મેકર્સ ઇચ્છે છે કે, પહેલાં તે સાજા થઈ જાય પછી કામ પર પાછા ફરે.

સંજય દત્તના આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની મક્કમ રીતે તેમની સાથે ઊભી છે. તે હંમેશાં તેમનો જુસ્સો વધારતી રહે છે અને સોશિયલ મીડિયા દ્રારા પોતાના પતિની હેલ્થ અપડેટ આપતી રહે છે.

You cannot copy content of this page