બેઈજિંગઃ વિશ્વનાં ઘણા સમૃદ્ધ દેશો પણ કોરોનાને કારણે ચિંતિત છે. તમામ પ્રયાસો છતાં, આ રોગચાળો કાબૂમાં નથી આવ્યો. અમેરિકા, ઇટાલી, સ્પેન, બ્રિટન જેવા દેશોમાં વધી રહેલાં મૃત્યુદરને જોતા સૌથી કોઈ ચિંતામાં છે. જોકે, આ બધાની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે કે કોરોનાની ગતિ હજી ત્યાંની સરખામણીએ ઘણી ઓછી છે.
એક કાર્યક્રમમાં ભારતીય મૂળના વિદેશી તબીબો સાથે કોરોનાવાઈરસ વિશે વાત કરી છે, જેમાં અનેક તથ્યો ઉભરી આવ્યા હતા. તમામ ડોકટરોએ ભારત દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી. આ મામલામાં સેન્ટ માઇકલ હોસ્પિટલ શાંઘાઇના મેડિકલ ડિરેક્ટર ડો. સંજીવ ચૌબે સાથે પણ વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત પાસે કેટલાક પરિબળો છે, જેના કારણે કોરોના કેટલાક વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહ્યો નથી.
લોકડાઉન ભારત માટે જરૂરીઃ ડો. સંજીવ ચૌબેનું કહેવું છે કે કોરોનાવાઈરસનો કોઈ ઈલાજ નથી. તેથી લોકડાઉન એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હતું અને એક રીતે ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. કારણ કે ચીન અને ભારતની વસ્તી વધુ છે અને લોકડાઉન કર્યા વિના કોરોનાવાઈરસનું નિયંત્રણ શક્ય નથી. તેમણે કહ્યું હતું કે હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉન ખુલ્યા બાદ પણ સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ.
આ રાજ્યોમાં કોરોના કાબૂમાંઃ આ સિવાય ડૉ.સંજીવ ચૌબેએ જણાવ્યું હતું કે ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાની અસર ઘણી ઓછી છે. તેમણે બિહાર, ઓરિસ્સા અને ઝારખંડનો ઉલ્લેખ કર્યો. તેમના મતે, ‘જ્યાં મેલેરિયાના કેસ વધુ જોવા મળે છે ત્યાં કોરોનાની અસર ઓછી થઈ રહી છે.’
જો તમે ડૉ.સંજીવ ચૌબેની વાત માનો છો, તો આના સાક્ષી આંકડા છે, જે કોઈપણ જોઈ શકે છે. આ રાજ્યોમાં મેલેરિયાનું પ્રમાણ વધુ છે. એટલું જ નહીં, વિશ્વના તે દેશોમાં કોરોનાનો ફેલાવો ઓછો રહ્યો છે જ્યાં મેલેરિયા એક સામાન્ય રોગ છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચીનમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ દર્દી વેન્ટિલેટર પર હોય તેની ઉપર અસર ઓછી છે. તેથી, હમણાં કોરોનાની કોઈ ચોક્કસ સારવારનો દાવો કરી શકાતો નથી.