Only Gujarat

FEATURED National

કોરોનાને લઈ ભારતની સૌથી મોટી મુશ્કેલીનો આવશે અંત, IITએ શોધી આ ટેકનિક

જોધપુરઃ IIT જોધપુર સંશોધનકારોએ દાવો કર્યો છે કે લક્ષણો વગરના કોરોના દર્દીઓને પણ ઓળખી શકાય છે. IIT જોધપુરના બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટના રિસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીઓમાં ગંધ કે સુંઘવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. ગંધના આધારે સ્ક્રીનિંગ દ્વારા કોરોનાવાઈરસ પોઝીટીવ દર્દીઓ શોધી શકાય છે.

આ રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે SARS-COV-2-Hace2 (હ્યુમન એન્જીયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ 2) નામના ચોક્કસ માનવ રીસેપ્ટર સાથે સંપર્ક કરવા માટે જાણીતું છે. તે વાઈરસનો પ્રવેશ બિંદુ પણ છે, જે પછીથી ફેફસાં સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આઈઆઈટી જોધપુરનું આ રિસર્ચ પેપર અમેરિકન કેમિકલ સોસાયટીના જનરલ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયું છે.

કોરોનાવાઈરસમાં અત્યાર સુધીમાં ઘણા એવાં પોઝીટીવ કેસો નોંધાયા છે, જેમાં દર્દીમાં બીમારીના લક્ષણો દેખાતા નથી, પરંતુ તેઓ ગંધ અથવા જીભથી સ્વાદ પારખવાની શક્તિ ગુમાવે છે. તબીબી ભાષામાં, તેને અનુક્રમે એનેઝમિયા અને એગિસિયા કહેવામાં આવે છે.

લક્ષણ ના દેખાવા પર આવા રોગીઓને નેફ્રોલોજિસ્ટ દ્વારા તપાસ કર્યા પછી આવા દર્દીઓને સેલ્ફ-ક્વૉરન્ટીન માટે મોકલવામાં સરળ રહેશે. આનાથી દર્દીઓના જીવ જોખમમાં મૂકશે નહીં અને ચેપ ફેલાવાનું જોખમ પણ ઓછું થશે.

ભારતના સંદર્ભમાં આ શોધ વધુ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કેમ કે અહીં 65 ટકાથી વધુ એવા કિસ્સાઓ છે જ્યાં દર્દીઓનાં લક્ષણો ઓળખવા મુશ્કેલ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page