Only Gujarat

Religion

કોરોના કાળમાં બુધને આ રીતે બનાવો મજબૂત, બાપ્પા આ રીતે દૂર કરશે તમામ મુશ્કેલી

અમદાવાદઃ હાલ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે આખી દુનિયા જાણે ભયના માહોલમાં જીવી રહી છે. આ સ્થિતિમાં લોકો મેડિકલ સાયન્સની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ લોકો તેના ઉપાય શોધી રહ્યાં છે. જ્યોતિષના મત મુજબ કોરોનાના વધતા જતાં પ્રકોપમાં બુધની ભૂમિકા મહત્વની છે. જયોતિષના મત મુજબ બુધ ગ્રહ જે ગ્રહોની દષ્ટિમાં રહે છે. તે મુજબ તે શુભ કે અશુભ ફળ આપે છે.

આ સ્થિતિમાં જ્યોતિષ જાણકારનું માનવું છે કે, કોરોનાને હરાવવામાં બુધની મહત્વની ભૂમિકા રહેશે, નિષ્ણાત તબીબોના મત મુજબ કોરોનાનું પહેલું સંક્રમણ ગળાથી શરૂ થાય છે. બુધનો બુદ્ધિની જેમ કાન, નાક, ગળા સાથે પણ સંબંધ છે. આ સ્થિતિમાં જો બુધને પ્રસન્ન કરવો હોય તો બુધના કારક ગણેશ ભગવાને પ્રશન્ન કરવા જરૂરી બની જાય છે. વિધ્નહર્તાનો પ્રિય વાર બુધ હોવાથી બુધવારના દિવસે ગણેશની સાધના આરાધના વધુ ફળદાયી નિવડે છે.

બુધનું મહત્વ અને તેની વિશેષતાઃ – બુધ ગ્રહોમાં સૌથી સુંદર અને કોમળ ગ્રહ છે આ કારણથી તેને રાજકુમાર ગ્રહ પણ કહેવામાં આવે છે. – બુધ પાસે પૃથ્વી તત્વ છે અને તે મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. -બુધ ગ્રહ બુદ્ધિ, એકાગ્રતા, વાણી, ત્વચા, સૌદર્ય, સુગંધ અને વેપારનો કારક છે. – બુધ સંચાર અને કાન,નાક, ગળા સાથે પણ સંબંધ ધરાવે છે. – બુધના શુભ પ્રભાવથી બુદ્ધિમાં પ્રખરતા આવે છે, તેના કારણે ગણિત જેવા વિષયમાં કુશળતા પ્રાપ્ત કરી શકાય છે.  – જો બુધ ગ્રહ પીડિત થઇ જાય તો દીકરી, બહેન અને ફૈબાનું સુખ નથી મળતું

ધનપ્રાપ્તિ માટે ગણેશની ઉપાસના શ્રેષ્ઠઃ – ભગવાન ગણેશ બુદ્ધિ અને સમજદારીના દેવતા છે. – ગણેશજીની ઉપાસનાથી કુશાગ્ર બુદ્ધિ અને વિદ્યાનું વરદાન મળે છે. – ધન કમાવવા માટે બુદ્ધિ આવશ્યક છે. જે ગણેશજીની કૃપા દ્રારા સરળતાથી મળી જાય છે. – આ સાથે ધન સંબંધિત જો કોઇપણ મુશ્કેલી પડતી હોય તો વિઘ્નહર્તા તેને દૂર કરે છે. – ભગવાન ગણેશની વિશેષ ઉપાસના કરનારને ક્યારેય ધનનો અભાવ નથી રહેતો. – શુકલપક્ષમાં બુધવારના દિવસે સવારના સમયે 11 મોદકનો ભગવાન ગણપતિે ભોગ લગાવો. – ગાયના ઘીનો દીપક પ્રગટાવો. એક મોદક પ્રસાદરૂપે ઘરે લાવો બાકીના મોદક બાળકોમાં વહેંચી દો.

બુધ ગ્રહને આ રીતે કરો બળવાનઃ – બુધ ગ્રહને બળવાન કરવા માટે ગણેશજીની સાથે મા દુર્ગાની ઉપાસના કરો. – લીલા રંગની વસ્તુનો વધુ ઉપયોગ કરો. – નારી જાતિનું સન્માન કરો. – ઘરની ઉત્તર દિશામાં જળ ભરીને રાખો. – જરૂરિયાતમંદ કન્યાના લગ્નમાં ભોજન સહિતની વ્યવસ્થા કરાવી આપી સહયોગ કરો. – બુધ ગ્રહને પ્રભાવશાળી બનાવવા માટે કિન્નરને વસ્ત્રો દવા સહિતનું દાન કરો


મુશ્કેલીનો આવશે ઉકેલઃ -લાલરંગના વસ્ત્ર પર ભગવાન ગણેશની સ્થાપના કરો. -રોજ ગણેશજીને લાલ પુષ્પ અને 27 લીલી દુર્વાના પાન અર્પણ કરો. -ત્યારબાદ વ્રકતુંડાય મંત્રનો જાપ લાલ ચંદનની માળાથી કરો. -સતત 27 દિવસ સુધી આ મંત્રના જાપ કરો. -જાપ પૂર્ણ થયા બાદ કાર્યસિદ્ધ થયા બાદ જરૂરિયાતમંદોને ભોજન કરાવો

You cannot copy content of this page