Only Gujarat

FEATURED Health

રાત્રે વધેલી રોટલી તમે ફેંકી દો છો? આ વાંચ્યા બાદ તમે ક્યારેય રોટલી નહીં ફેંકો એ ગેરંટી

અમદાવાદઃ અનેકવાર આપણે ઘરેલું ઉપાયથી ઘણી બીમારીઓ મટાડી શકતા હોઈએ છીએ. આજે અમે તમને વાસી રોટલી અંગે વાત કરીશું. જોકે, આપણે ઘણીવાર સાંભળતા આવ્યા છીએ કે રાતનું વધેલું ભોજન સવારે ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. જોકે, તમે વાસી રોટલી કોઈ પણ જાતના ડર રાખ્યા વગર ખાઈ શકો છો.

રાતની વધેલી રોટલીમાં ભરપૂર ફાઈબર હોય છે, જેને કારણે તે સરળતાથી પચી શકે છે. રોજ સવારે વાસી રોટલી દૂધ સાથે થાવાથી શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર થઈ જાય છે.

ડાયાબિટીઝઃ ડાયાબિટીઝને કંટ્રોલમાં લાવવા માટે રોટલી સારો ઉપાય છે. રોજ સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવી જોઈએ. આમ કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. તમે દૂધની અંદર રોટલી પલાળીને પણ ખાઈ શકો છો.

બ્લડ પ્રેશરઃ ઠંડા દૂધમાં વાસી રોટલી 10 મિનિટ સુધી પલાળીને રાખો. સવારના નાસ્તામાં આ ખાવાથી ફાયદો થશે. તમારે જો ગળ્યું ખાવું હોય તો તેમાં મધ ઉમેરી શકાય. આમ કરવાથી વ્યક્તિની હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા કંટ્રોલમાં રહે છે.

પેટ દર્દઃ પેટ સાથે જોડાયેલી બીમારી હોય તો વાસી રોટલી ખાઈ શકો છો. રોટલીમાં ફાઈબર વધુ છે અને સોડિયમ ઓછી માત્રામાં રહેલું છે. વાસી રોટલી પાચન માટે સારી છે અને લોહીમાં શુગરની માત્રાને ઓછી કરે છે.

નોંધઃ આ આર્ટિકલ માત્ર જાણકારી માટે છે. આનાથી બીમારી ચોક્કસ રીતે મટશે જ કે પછી કંટ્રોલમાં આવશે, તે તમારી પ્રકૃતિ પર આધાર રાખે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page