લોકડાઉનમાં લોકો પોતાના ઘરમાં બેઠા-બેઠા કંટાળી રહ્યાં હોવાનું કહી રહ્યાં છે. ઇચ્છે તો પણ ઘરની બહાર નીકળી શકે તેમ નથી. એવામાં મહારાષ્ટ્રમાં મજુર પતિ-પત્નીએ ઘરમાં રહી એવું ઉદાહરણ પુંરું પાડ્યું કે દેશભરમાં બંનેની ચર્ચા થઇ રહી છે. એટલું જ નહીં લોકો બંનેને દશરથ માંઝી તરીકે ઓળખાવી રહ્યાં છે.
વાત એવી છે કે લોકડાઉનના કારણે વાશિમ જિલ્લાના કારખેડા ગામમાં રહેતા મજુર પતિ-પત્નીએ ઘરમાં રહી કંઇક કરવાનું નક્કી કર્યું. બાદમાં બંનેએ ઘરના આંગણામાં 21 દિવસની તનતોડ મહેનત કરી 25 ફૂટ ઉંડો કુવો ખોદી નાખ્યો. આ કુવામાંથી બહાર નીકળતા પાણીને ગ્રામજનો ઉપયોગમાં લઇ શકશે. ગ્રામલોકો પણ આ પહેલને જોઇને હેરાન રહી ગયા. તેઓએ બંનેના જુસ્સાને સલામ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગઝાનન પકમોડે મજુરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એવામાં પતિ-પત્નીએ લોકડાઉનના આ ખાલી સમયનો સદઉપયોગ કર્યો અને કુવો ખોદી નાખ્યો. ગામજનોએ શરૂઆતમાં બંનેની ખુબ જ મજાક ઉડાવી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે બે વ્યક્તિથી ક્યારેય કુવો ખોદાયો છે કે આ બંને ખોલી શકશે.
ગ્રામજનો દ્વાર મજાક ઉડાવવા છતા પતિ-પત્નીએ હિમ્મત ન હારી અને મજાકને અનસુની ગણી ખોદકામ ચાલુ રાખ્યું. અંતમાં બંનેની મહેનત રંગ લાવી અને 25 ફૂટનો કુવો ખોદાઇ ગયો. એટલું જ નહીં આ કુવા માંથી પાણી પણ નીકળવા લાગ્યું છે.
જે લોકો શરૂઆતમાં આ પતિ-પત્નીની મજાક ઉડાવી રહ્યાં હતા હવે તેઓ બંનેની મહેનતના વખાણ કરી રહ્યાં છે. જેમ એક પર્વતના બે ભાગ કરનાર દશરથ માંઝી સાથે આ દંપતીની સરખામણી કરવામાં આવી રહી છે. આ દંપતીનું કહેવું છે કે અમારા ગામમાં નળ યોજના બંધ છે. આથી હવે કુવાથી રાહત મળશે. માણસની સાથે પશુઓને પણ પૂર્ણ માત્રામાં પાણી મળી રહેશે.