મુંબઈ: ટીવી કપલ ગૌતમ રોડે અને પંખુડી અવસ્થી હાલના દિવસોમાં માલદીવમાં પોતાના લગ્નની બીજી એનિવર્સરી મનાવી રહ્યા છે. બંન્નેએ બે ફેબ્રુઆરી 2008ના રોજ લગ્ન્ કર્યા હતા. વેકેશન માણતા કપલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફોટો શેર કર્યા છે. ગૌતમે પત્ની સાથે ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘shore’ like vacations with you ❤️. અન્ય એક તસવીર શેર કરતા લખ્યું હતું કે, Had a great time at @maverickstyle.mv water sports centre today.. sharing some pictures with you guys
નોંધનીય છે કે ગૌતમ અને પંખુડીની ઉંમરમાં 14 વર્ષનું અંતર છે. બંન્નેએ જ્યારે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો તો પરિવારવાળા તૈયાર નહોતા. પરંતુ બંન્નેએ અંતમાં લગ્ન માટે મનાવી લીધા હતા.
નોંધનીય છે કે આ કપલ સૂર્યપુત્ર કર્ણના સેટ પર મળ્યા હતા જેમાં ગૌતમે કર્ણની ભૂમિકા નિભાવી હતી જ્યારે પંખુડીએ દ્રૌપદીનું પાત્ર ભજવ્યું હતું. અહી બંન્ને મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઇ ગઇ હતી. નોંધનીય છે કે ગૌતમની ઉંમર 40 વર્ષ છે જ્યારે પંખુડી અવસ્થીની ઉંમર 26 વર્ષ છે.
ગૌતમની લવલાઇફ આ અગાઉ અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે. ટીવી શો સરસ્વતીચંદ્રમાં તેની સાથે કામ કરી ચૂકેલી જેનિફર વિંગેટ સાથે પણ તેનું નામ જોડાઇ ચૂક્યું છે. જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવરના ડિવોર્સ બાદ બંન્ને નજીક આવ્યા હતા. બાદમાં તેનું નામ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા સાથે પણ જોડાયું હતું.
પંખુડીએ પોતાના કરિયરની શરૂઆત યે હૈ આશિકીથી કરી હતી. ત્યારબાદ તે ‘MTV ફના'(2014), ‘રજિયા સુલ્તાન'(2015), ‘સૂર્યપુત્ર કર્ણ'(2015)જેવા શોમાં નજર આવી ચૂકી છે.
ગૌતમે પોતાના ટીવી કરિયરની શરૂઆત 1995માં ‘જહાં પ્યાર મિલે’થી કરી હતી. ત્યારબાદ ‘રિશ્તે'(2000), ‘અપના અપના સ્ટાઇલ ‘(2001), ‘બા બહૂ ઔર બેબી'(2005), ‘ઇંતેજાર'(2008), ‘આહટ'(2010), ‘પરિચય'(2011), ‘સરસ્વતીચંદ્ર ‘(2013), ‘સૂર્યપુત્ર કર્ણ'(2015)જેવા ટીવી શો કરી ચૂક્યો છે.