સાઉથ એક્ટર ચિરંજીવી સરજાનું 39 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચિરંજીવીનું 7 જૂને હાર્ટ અટેક આવ્યા બાદ નિધન થયું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્ટરને શ્વાસ સંબંધિત બીમારી હતી અને તેને બેંગલુરૂના જયનગરમાં સાગર અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચિરંજીવીના અચાનક અવસાનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે.
ખૂબજ નાની ઉંમરમાં ચિરંજીવીના નિધનથી તેના ફેન્સ પણ દુ:ખી છે. સોશિયલ મીડિયામાં લોકો તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે. ચિરંજીવી પરીણિત હતો અને તેની પત્નીનું નામ મેઘના રાજ છે. તેણે મે, 2018 માં જ મેઘના સાથે લગ્ન કર્યાં હતાં. ચિરંજીવી એક્ટર ધૃવ સરજાનો મોટો ભાઇ અને સાઉથ ઈંડસ્ટ્રીના એક્શન કિંગ તરીકે ઓળખાતા અર્જુન સરસાનો ભત્રીજો હતો.
17 ઓક્ટોબર, 1980 માં બેંગલુરૂમાં જન્મેલ ચિરંજીવીએ 2009 માં આવેલ ફિલ્મ વાયુપુત્રથી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને તેના અંકલ કોશોર સરજાએ ડિરેક્ટ કરી હતી. ચિરંજીવ સરજાએ પોતાના 11 વર્ષ લાંબા કરિયરમાં કુલ 22 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ચિરૂ, કૈમેગૌડા, ચરદનાયકા, વ્હિસલ, ચંદ્રલેખા, રામલીલા, સીઝર, અમ્મા આઈ લવ યૂ, ખાકી, આદ્યા અને શિવાર્જુના પ્રમુખનો સમાવેશ થાય છે.
સાઉથ ઈન્ડસ્ટ્રી પણ એક્ટરના અવસાનથી બહુ દુ:ખી છે. એક્ટ્રેસ પ્રિયામિની, એક્ટર વિલાસ નાયક અને પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ એક્ટરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.