Only Gujarat

Health

લંડન સ્થિત ભારતીય ડોક્ટરની ચેતવણી, સુધરી જાઓ ભારતીય નહીંતર… જોખમ વધી રહ્યું છે

લંડનઃ કોરોનાવાઈરસ દુનિયાભરમાં કહેર મચાવી રહ્યો છે. આ ખતરનાક બીમારીથી 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થઇ ચૂક્યા છે. તો બે લાખથી વધુ લોકોના તેનાથી મૃત્યુ થયા છે. એવામાં ખાવા-પીવાના પણ કોરોનાવાઈરસ પર ખુબ જ અસર થાય છે. ભારતીય મૂળના બ્રિટિશ ડોક્ટર ડૉ.અસીમ મલ્હોત્રાએ લોકોને તુરંત અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છોડવાની સલાહ આપી છે.

ડૉ અસીમ મલ્હોત્રા કાર્ડિયોલોજીલ્ટ છે. અસીમ મૂળરૂપથી દિલ્હીના રહેવાસી છે. અસીમ બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. તેઓ અહીં કોરોનાવાઈરસ વિરુદ્ધ ફ્રન્ટલાઇન ડોક્ટરોમાં સામેલ છે.

ડૉ અસીમ મલ્હોત્રાએ જણાવ્યું કે ભારતીયોએ તુરંત પેકેટ ફૂડ છોડી દેવું જોઇએ. તેમનું કહેવું છે કે કોરોનાવાઈરસથી થતા મૃત્યુનું એક કારણ નબળું ખાનપાન છે. તેમના મતે, કોરોનાવાઈરસથી જાડા લોકોને વધુ ખતરો હોઇ શકે છે.

તેમને જણાવ્યું હતું કે મહામારીથી લડવા માટે જીવનશૈલીમાં બદલાવ કરવાની જરૂરિયાત છે. જે માટે તેઓ હાલ લોકોને જાગરુત કરી રહ્યાં છે.

ડૉ અસીમે કહ્યું કે ભારતમાં બીમારીઓનું એક મોટું કારણ લોકોની જીવનશૈલી છે, જેમાંથી ખાસ કરીને જેમને ટાઇપ-2 ડાયાબિટીઝ, હૃદય રોગ અને હાઇ બ્લડ પ્રેશર છે. તેમણે કહ્યું કે આ ત્રણેય બીમારી કોરોનાવાઈરસ માટે ખુબ જ ખતરનાક છે. તેમના મતે બીમારી ખાસ કરીને વજન વધુ વધવાનું કારણ હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page