Only Gujarat

National

બહેનને મહિલાએ કર્યો મેસેજ, 6 વાગ્યે ઘરે પહોંચી જજે, સહેલીએ દરવાજો ખોલ્યો તો….

ગાઝિયાબાદ જિલ્લાના ઈન્દિરાપુરમના જ્ઞાનખંડમાં શુક્રવારે સવારે થયેલી ઘટના વિશે જેણે પણ સાંભળ્યું દંગ રહી ગયું. માતાનો મૃતદેહ ફંદા સાથે લટકેલું હતું, પાસે જમીન પર બાળક રમી રહ્યું હતું. બાળકને જરા પણ આભાસ નહોતો કે તેના પરથી માતા-પિતાનો હાથ ઉઠી ગયો છે. ઘટનાની જાણકારી મળતા જ મૃતકની બહેનની સહેલી સૌથી પહેલા ઘટનાસ્થળ પર પહોંચી અને પાડોશીઓને જાણકારી આપી.

ગાઝિયાબાદના ઈંદિરાપુરમના જ્ઞાનખંડમાં એક ફ્લેટમાં પતિ અને પત્નીના મૃતદેહ ફંદા પર લટકાયેલા મળ્યા. બાજુમાં જ 9 મહિલાનું બાળક રમતું મળ્યું. મહિલાએ પોતાની બહેનને સવારે લગભગ પોણા ચાર વાગ્યા આસાપાસ મેસેજ મોકલીને નવ મહિનાનો છોકરો ઘરે એકલો હોવાની વાત કરી હતી. બહેને મેસેજ જોઈને પોતાની સહેલીને મોકા પર મોકલી તો ઘટનાની જાણકારી મળી. સાથે પોલીસને ઘરમાં એક કાગળનું બોક્સ પણ મળી આવ્યું છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસને સ્યુસાઈડ નોટ નથી મળી. ફોરેન્સિક ટીમે પુરાવાઓ એકઠા કર્યા છે. જો કે પરિવારજનો પોલીસથી કોઈ ફરિયાદ નથી. મૂળ પટનાના નિવાસી નિખિલ કુમાર તેમની પત્ની પલ્લવી સાથે રહેતા હતા.

બે વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. બંનેને નવ મહિનાનો એક દીકરો પણ છે. નિખિલ નોએડાની એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજરના પદ પર હતો. પોલીસને પ્રમાણે, ગ્રેટર નોએડામાં રહેતી પલ્લવીની બહેન અંજલિને વૉટ્સએપ પર 3 મેસેજ મળ્યા. જેમાં લખ્યું હતું કે, સવારે 6 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જજે બાબૂ ઘરે એકલો છે. કશુંક અઘટિત થયું હોવાની આશંકા સાથે અંજલિએ તેની એક સહેલીને બહેનના ઘરે મોકલી.

પલ્લવીનું શબ હૉલમાં પંખા પર ફંદાથી લટકાયેલું હતું અને નવ મહિનાનું બાળક રમી રહ્યું હતું. મહિલાની ચીસો સાંભળીને પાડોશી પહોંચ્યા અને પોલીસને સૂચના આપી. પોલીસે બીજા રૂમમાં તપાસ કરી તો નિખિલનો મૃતદેહ પણ લટકતો મળ્યો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

સીઓ અંશુ જૈને જણાવ્યું કે કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી. અત્યાર સુધીની તપાસમાં આત્મહત્યાનો જ મામલો લાગી રહ્યો છે. મહિલાના હા પર ચાકૂથી કાપા માર્યના નિશાન મળ્યા છે. પાસેથી લોહી પણ મળ્યું. પોલીસે ચાકૂ અને મોબાઈલ કબ્જે કર્યો છે. પરિવારજનોની તરફથી હાલ કોઈ ફરિયાદ નથી મળી. પોલીસ આત્મહત્યા સહિત તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થશે.

દંપતી એકબીજાને કરતા હતા ખૂબ જ પ્રેમ
2018માં પલ્લવી અને નિખિલના લગ્ન થયા હતા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. ફેસબુક પર બંનેના મોટાભાગના ફોટોસ એક સાથે જ હતા. બંનેએ એક સાથે આવીને ખુશ રહેવાની વાત પણ લખી હતી. સોશિયલ મીડિયા પર બંનેએ પોતાના અને દીકરાના જન્મદિવસમા ફોટો પણ મુક્યા હતા. આખરે એવું શું થયું કે હસતા ખેલતા આ પરિવારને નજર લાગી ગઈ.

ઘરમાંથી કાગળથી બનેલું બોક્સ મળ્યું
નિખિલના ઘરમાં એક કાગળનું બોક્સ મળ્યું છે. જેના પર ‘સ્ટે સ્ટ્રોંગ કોવિડ-19’ લખેલું છે. સાથે જ જે રૂમમાં તેની લાશ મળી તેમાં ઘણો સામાન વિખેરાયેલો મળ્યો હતો. નોંધનીય છે કે નિખિલ ખૂબ હિંમતવાન હતો. કોરોના કાળમાં તે લોકોને કોરોનાથી ડરવાના બગલે જાગૃત રહેવાનો સંદેશ આપતો હતો.

 

You cannot copy content of this page