મુંબઇઃ બોલિવૂડના અન્ય એક્ટર અને એકર્ટર્સની જેમ ટીવી ક્વીન એકતા કપૂરને પણ કોરોનાના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું છે. પ્રથમવાર તેને પોતાની બોલાજી પ્રોડ઼ક્શન કંપની બંધ કરવી પડી છે અને તેની સીરિયલોનું શૂટિંગ રદ કરવામાં આવ્યુ છે. એવામાં તેની સ્થિતિ સારી નથી., પરંતુ હવે એકતા કપૂરે કંપનીમાં કામ કરતા મજૂરો અને સહકર્મચારીઓની મદદે આવી છે.
એકતા કપૂરે ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે તે પોતાની એક વર્ષની સેલેરી નહી લે. એક નિવેદનમાં એકતાએ કહ્યુ કે, કોરોનાની અસર અભૂતપૂર્વ છે અને અનેક તબક્કામાં થઇ છે. આપણે આગળ કાંઇક એવું જ કરવું પડશે જેથી કોરોનાથી પ્રભાવિત લોકોની મુશ્કેલીઓ ઓછી થઇ શકે. આ મારી જવાબદારી છે કે હું એ ફિલાન્સર, દિહાડી મજૂરોનું ધ્યાન રાખું જે બાલાજી ટેલીફિલ્મ્સમાં કામ કરે છે.
શૂટિંગ રોકાઇ જવાના કારણે આ લોકો પર ખૂબ અસર થઇ છે. હું જાહેરાત કરું છું કે હું બાલાજી ટેલીફિલ્મ્સમાં મારો એક વર્ષનો પગાર નહી લઉં જે 2.5 કરોડ રૂપિયા છે. આ સ્ટેટમેન્ટના ટ્વિટના કેપ્શનમાં તેણે લખ્યું કે, ફક્ત એક જ સમાધાન છે. સાથે રહીએ, સુરક્ષિત રહીએ, સ્વસ્થ રહીએ.
એકતા કપૂરની જાહેરાત ઘણી મહત્વપૂર્ણ છે કારણ કે આ સમયમાં કોરોનાએ સૌથી વધુ અસર મજૂરો પર કરી છે. જેમના પાસે હાલમાં કોઇ કામ નથી.એવામાં એકતા કપૂરની જાહેરાત આ લોકો માટે વરદાનથી ઓછી નથી.