Only Gujarat

FEATURED TOP STORIES

કોરોના વાયરસ 20 વર્ષ સુધી જીવી શકે છે? શું કહે છે ચાઈનીઝ એક્સપર્ટ

ચીનના મહા રોગચાળાના નિષ્ણાત લી લાનજુઆને કહ્યું હતું કે માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કોરોના વાયરસ 20 વર્ષ સુધી જીવી શકે છે. જ્યારે માઇનસ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં કેટલાક મહિનાઓ સુધી રહે છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચાઇના ન્યૂઝ સર્વિસના હવાલાથી આ વાતો પ્રકાશિત કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે લી લાનજુઆન સમજે છે કે ખાસ કરીને કોરોના વાયરસ કોલ્ડ રેજીસ્ટેંટ છે. પરંતુ જ્યારે રિપોર્ટ પ્રકાશિત થયા પછી વાયરલ થયો હતો, ત્યારે તેમના નિવેદનથી લાનજુઆન પલટાઈ ગઈ હતી.

ગ્લોબલ ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, લી લાનજુઆન કહે છેકે, કોરોના વાયરસ ઠંડામાં લાંબા સમય સુધી રહી શકે છે. આજ કારણ છેકે, વાયરસ એક દેશથી બીજા દેશમાં પહોંચી રહ્યો છે. ઘણા સામાનોને એક દેશથી બીજા દેશ, ફ્રીઝીંગ ટેમ્પરેચરમાં મોકલવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોલ્ડ રેજીમેન્ટ હોવાને કારણે ચીનનાં ફૂડ માર્કેટમાં કોરોના ઘણીવાર મળ્યો છે.

ચીની સમાચારપત્રએ ઈન્ડસ્ટ્રીનાં લોકોનાં હવાલાથી એવું પણ કહ્યું છે કે, મહામારી એક્સપર્ટનાં નિવેદન બાદ ચીની લોકો ફ્રોઝન ફૂડથી દૂર રહે છે. ચીનમાં શુક્રવારે અંડરગ્રાઉન્ડ સી ફૂડ માર્કેટમાંથી 200 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ઘણા સેમ્પલ પોઝીટીવ મળ્યા હતા.

આ પહેલાં પણ રિપોર્ટ સામે આવ્યો હતો કે, ચીનનાં ઝીનફડીમાં આયાત કરવામાં આવેલાં Salmonનાં ચોપિંગ બોર્ડમાંથી વાયરસ મળ્યા હતા. ત્યારબાદ Salmonનાં વેચાણ પર રોક લગાવવામાં આવ્યુ હતુ.

ચીનનાં પ્રમુખ સમાચારોમાં રિપોર્ટ પ્રકાશિત થયા બાદ રોગચાળા રોગ એક્સપર્ટ લી લાનજુઆને દાવો કર્યો છેકે, તેના નિવેદનને ફેરવી-તોડીને પ્રકાશિત કરવામાં આવ્યુ છે. લાનજુઆને પોતાનું નિવેદન બદલતા કહ્યુ હતુકે, ‘કોરોના વાયરસ નવો વાયરસ છે. અને ઠંડીને લઈને તેનું રેજીસ્ટેંટ હજી સુધી ખબર નથી.

લી લાનજુઆનનું નિવેદન ચીનના સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યુ છે. અને લોકો ફ્રોઝન ફૂડથી દૂરી બનાવી રહ્યા છે. શનિવારે ચીનનાં ન્યૂઝ પોર્ટલ zjol.com.cn સાથે વાત કરતાં લાનજુઆને દાવો કર્યો હતોકે, તેના નિવેદનને ખોટું સમજવામાં આવ્યુ છે. તેણે કહ્યુકે, ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં વાયરસના લાંબા સમય સુધી સક્રિય રહેવા વિશે તેણે સામાન્ય રીતે કહ્યુ હતુકે, તે પહેલાંથી જ્ઞાત વાયરસ વિશે હતુ, કોરોના માટે ન હતુ.

લીએ કહ્યુકે, તેણે શુક્રવારે જ સ્પષ્ટ કહી દીધુ હતુકે, કોરોના વાયરસનાં કોલ્ડ રેજીસ્ટેંટ હોવાને લઈને હજી અભ્યાસ કરવાની જરૂર છે. જોકે, ગ્લોબલ ટાઈમ્સનમું કહેવું છેકે, બેઈજીંગમાં હાલમાં કોરોનાનાં જે કેસ સામે આવ્યા છે. તેમનો સંબંધ આયાત કરાયેલાં ફ્રોઝન ફૂડમાંથી મળ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page