બેઇજિંગઃ દુનિયામાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.આ વાયરસના આતંકથી દુનિયાના અનેક દેશ પ્રભાવિત થયા છે. ચીન દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં આ વાયરસના કારણે 600થી વધુ લોકોના મોત થયા છે. જોકે વાસ્તવિકતા આનાથી ઘણી અલગ છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ સ્મશાન ઘાટમાં કામ કરનારા લોકોએ હકીકત બહાર લાવી છે. કોરોના વાયરસથી જ્યાંથી શરૂઆત થઇ હતી તે ચીનના વુહાનમાં કામ કરનારા લોકોએ કહ્યુ કે, કઇ રીતે દરરોજ 100થી વધુ લાશઓ સળગાવવામાં આવી રહી છે.
ચીનના વુહાનમાં કોરોના વાયરસનો આતંક સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આખું શહેર લગભગ ખાલી થઇ ચૂક્યું છે. આ વાયરસથી ગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને તેમની સારવાર કરાઇ રહી છે. (તસવીરમાં વુહાન શહેરમાં ધૂમાડાના ગોટા જોઈ શકાય છે)
આ વચ્ચે વુહાનના સ્મશાન ઘાટોમાં કામ કરનારા લોકોએ કહ્યું કે, દરરોજ તેઓ 100થી વધુ લાશોને સળગાવી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમા વુહાન શહેર પર ધૂમડાના ગોટા છવાઈ ગયેલા જોવા મળે છે. લાશો સળગાવાના કારણે ધૂમાડો થયો હોવાની શક્યતા છે. (તસવીરમાં હોસ્પિટલમાં લાશોના ઢગલાં જોઈ શકાય છે.)
ચીનમાં મોટાભાગના લોકોના મૃતદેહને જમીનમાં દાટવામાં આવે છે પરંતુ એક ફેબ્રુઆરીએ ચીનનના નેશનલ હેલ્થ કમિશને આદેશ આપ્યો હતો કે વાયરસથી ગ્રસ્ત લોકોની લાશને સળગાવવામાં આવે જેથી વાયરસ વધુ ફેલાય નહીં. (તસવીરમાં લાશોને જમીન પર પડેલી જોઈ શકાય છે.)
ચીનના હોસ્પિટલોને એક્સહિબિશન સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે જ્યાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર ચાલી રહી છે.
વુહાનમાં રસ્તા પરથી લોકોને ઉઠાવીને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. સરકાર વાયરસને વધુ ફેલાતો રોકવા માટે પ્રયત્ન કરી રહી છે.
હજુ સુધી કોરોના વાયરસની સારવાર કોઇ શોધી શક્યું નથી. એવામાં ચીન પોતાને ત્યાં મરનારાઓની સંખ્યાને છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સ્મશાનઘાટ પર કામ કરનારા કામદારોએ કહ્યું કે, તેમને વધુ માણસોની જરૂર છે કારણ કે અચાનક આટલું વધારે કામથી તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
વુહાનના ત્રણ મુખ્ય હોસ્પિટલોમાં દરરોજ એક સાથે આ લાશોને ઉઠાવવામાં આવે છે અને રાત્રે જ્યારે લોકો સૂઇ જાય છે ત્યારે આ લાશોને એક સાથે સળગાવવામાં આવે છે.