Only Gujarat

Bollywood FEATURED

દિવાળીએ સુશાંતને ગયે થયા 5 મહિના, રડતી બહેને કહી એવી વાત કે કોઈની પણ આંખો ભીંજાઈ જશે!

સુશાંત સિંહ રાજપૂતન નિધનને 14 નવેમ્બરે પાંચ મહિના થઈ ગયા છે. સત્યની તપાસમાં સીબીઆઈથી લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઈડી લાગેલા છે. તો દિવાળીના આ તહેવાર પર પરિવારને અને ચાહકોને તેની ખોટ મહેસૂસ થઈ રહી છે.

કદાચ જ કોઈએ વિચાર્યું હશે કે આ દિવાળીએ સુશાંત આપણી સાથે નહીં હોય. તો શુક્રવારે સુશાંતની એક ચાહક એક્ટરના મુંબઈમાં આવેલા ઘરે પહોંચી અને ત્યાં સુશાંતનના નામનો દિપ પ્રગટાવ્યો. સાથે તેણે એવી આશા વ્યક્ત કરી કે આ જ્યોત ન્યાયનું કિરણ લઈને આવશે.

આ દરમિયાનની એક તસવીર સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઈન્સ્ટા પર શેર કરી છે. તસવીરમાં મહિલા ચાહક સુશાંતના અપાર્ટમેન્ટ મૉન્ટ બ્લેંકની બહાર હાથમાં દિપ લઈને ઉભી છે. શ્વેતાએ તેની સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘હા, અમને પુરો વિશ્વાસ છે કે તેના પર તંત્ર અને આપણ આગળ વધીશું, આપણો અવાજ ઉઠાવતા રહીશુ, જ્યા સુધી ન્યાય નથી મળતો.’

બહેને કરી આ ખાસ અપીલ
સુશાંતન બહેને ચાહકો અને એક્ટરના સપોર્ટર્સને અપીલ કરી છે કે, ‘આ દિવાળી સુશાંત વાળી મનાવો.’ શ્વેતાએ સુશાંતની તસવીર શેર કરીને લખ્યું છે કે, ‘આ દિવાળી સુશાંત વાળી…આવો દરેક દિલમાં પ્રેમ અને આશાનો દિપ પ્રગટાવીએ. આવો આ દિવાળી SSR અંદાજમાં મનાવીએ.’ શેર કરેલી એ તસવીરમાં લખવામાં આવ્યું છે કે- ‘સુશાંત દરેકના જીવનમાં ખુશી લાવવામાં માનતો હતો. જેથી- નાના અને જરૂરરિયાતમંદ લોકોથી કેન્ડલ કે દિવા ખરીદો જેથી તેઓ તહેવાર મનાવી શકે. તેમને મીઠાઈઓ આપો જેઓ ખરીદી નથી શકતા. માનવતાને જીવંત રાખો અને જરૂરિયામંદોને મદદ કરો. તેની શરૂઆત 12 નવેમ્બરથી કરો.’

જણાવી દઈએ કે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસ આખરી ચરણમાં છે જ્યારે એમ્સના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી અને દમ ઘૂંટાવાના કારણે જ થયું છે. સુશાંતના મામલામાં એક મોટો ખુલાસો ડ્ર્ગ્સ એંગલનો થયો છે, જે બાદ દિપિકા પાદુકોણથી લઈને અર્જુન રામપાલઅને સારા અલી ખાનથી લઈ શ્રદ્ધા કપૂરની એનસીબી પૂછપરછ કરી ચુકી છે.

You cannot copy content of this page