Only Gujarat

National

લગ્નમાં સાવ સામાન્ય કારણથી થઈ બબાલ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં

નવી દિલ્હીઃ લગ્નમાં બબાલ થવાના કિસ્સા તમે અવાર નવાર વાંચ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી તમે દહેજના કારણે  દહેજ તૂટવાના અહેવાલો સાંભળ્યા છે. પરંતુ કર્ણાટકમાં એક લગ્ન તૂટવા પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો. અહી વરરાજાએ  મંડપમાંથી ભાગી ગયો હતો. એટલું જ નહીં કન્યા અને વર પક્ષની હઠ એટલી વધી ગઈ કે આખો મામલો પોલીસ સ્ટેશમાં પહોંચી ગયો હતો.

વાસ્તવમાં  આ અનોખો કેસ કર્ણાટકના  હાસન  જિલ્લામાં બુધવારે બન્યો હતો રસપ્રદ વાત એ છે કે આ લગ્ન લવ મેરેજ કમ  એરેજ્ડ મેરેજ હતા. જાણકારી અનુસાર, કન્યા બીઆર સંગીતા અને વરરાજા  રઘુકુમાર છેલ્લા એક વર્ષથી એક બીજા સાથે રિલેશનશીપમાં હતા.  તેઓ એકબીજાને  ખૂબ પ્રેમ કરતા હતા.

જ્યારે લગ્નની વિધિઓ ચાલી રહી હતી તો વરરાજાના  માતા પિતાએ કન્યાની સાડી પસંદ આવી નહી. તેમને સાડીની ક્વોલિટી ખરાબ લાગી અને વહુને  સાડી  બદલવા કહ્યુ પરંતુ કન્યાએ આમ કરવાનો ઇનકાર કરી દીધો. પછી  બંન્ને પક્ષો વચ્ચે વિવાદ  પેદા થયો. છોકરાવાળાઓએ  લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને પોતાના દીકરાને ત્યાંથી ભાગી જવા કહ્યુ હતું. આ રીતે રઘુકુમાર અને  તેના ઘરવાળાઓએ  આ લગ્ન તોડી દીધા હતા અને ત્યાંથી ભાગી ગયા હતા.

કન્યાના ઘરવાળાઓએ તરત જ પોલીસ સ્ટેશન પહોંચી છોકરાવાળા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એસપી શ્રીનિવાસ ગૌડાએ કહ્યુ કે, અમે  યુવતીના કહેવા પર પોલીસ ફરિયાદ નોંધી છે. હાલમાં છોકરા  અને તેના ઘરવાળા ફરાર છે. જલદી તેમની ધરપકડ કરી લેવામાં આવશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page