જયપુરઃ કહેવાય છે કે જે જીવન બચાવે છે તેને લોકો પોતાના ભગવાન બરાબરનું સ્થાન આપે છે. આવી જ એક ઘટના રાજસ્થાનમાં સામે આવી છે. જ્યાં એક 18 વર્ષના યુવકે મૃત્યુ બાદ પણ ત્રણ લોકોને નવું જીવન આપ્યું.
આ ઘટના જયપુરમાં મંગળવારે (11 ફેબ્રુઆરી) રાતે બની, જ્યારે શ્રીગંગાનગરમાં સાર્દુલશહર 18 વર્ષીય કિશોર બ્રેનડેડ થતા તેના પરિવારજનોએ અંગ ડોનેટ કરવા માટે સહમતી દર્શાવી. ત્યારબાદ ડોક્ટર્સે અંદાજે 11 કલાક સફળ ઓપરેશનમાં યુવકના હ્યદયને અન્ય દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. જેના કારણે અન્ય યુવકનું જીવન બચી ગયું. ત્યારબાદ બ્રેનડેડ યુવકની બંને કિડની પણ સવાઇ માનસિંહ હોસ્પિટલમાં અગાઉથી જ દાખલ 2 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
જે લોકોને આ બ્રેન ડેડ યુવકની મદદથી નવજીવન મળ્યું છે, તેના પરિવારજનો બ્રેનડેડ યુવકના મૃતદેહને પ્રણામ કરી તેમના ઘરવાળાઓનો આભાર માન્યો હતો.
આભાર માનનારા લોકોનું કહેવું છે કે તમારા દીકરો મરતા મરતા પણ અમારા લોકોનું જીવન બચાવતો ગયો. તે અમારા માટે ભગવાન બરાબર છે.
એઇમ્સ હોસ્પિટલના અધિક્ષક ડૉ ડીએસ મીના અને એઇમ્સ મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડૉ સુધીર ભંડારીએ દાનદાતા યુવકના પરિવારજનોનો આભાર માન્યો હતો.